Gold Monetisation Scheme (GMS) પરખ અગ્રવાલ/અંબાજી : પ્રજા અને મોટી સંસ્થાઓ પાસે પડેલાં સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા સોનું મેળવી તેના પર વ્યાજ આપવા માટેની એક ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ લીધો છે. અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના ઘરેણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. કુલ 167 કિલો જેટલું સોનું બેંકમાં ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી 3 કિલો જેટલું સોનું હાલમાં જ મૂકવામાં આવ્યું છે. ઓ સોનાથી મળતા વ્યાજની રકમને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શને આવતા લોકોની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રજા અને મોટી સંસ્થાઓ પાસે પડેલાં સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા સોનું મેળવી ઉપર વ્યાજ આપવાં માટેની એક ગોલ્ડ મોનીટાઇઝેસન સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. અને જે યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ લીધો છે. અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ ભક્તો દ્વારા દાન માં મળેલાં સોનાંનાં ઘરેણાં જે એક્ત્રીત કરવામાં આવ્યા હતા. તેને ગોલ્ડ મોનીટાઇજેસન સ્કીમમાં મુકવાની રાજ્ય સરકાર પાસેથી સૈદ્ધાંતીક મંજુરી મેળવાઈ હતી. તેના મંદિર ટ્રસ્ટે મંદિરમાં માતાજીને ચઢેલાં વિવિધ દાગીના સ્વરૂપે મેળવેલાં સોનાનાં જથ્થાને પીગાળાવી તેને બીસ્કીટ સ્વરૂપે બનાવ્યા હતા. 


H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે


અંબાજીમાં મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને એસએમડી સિદ્ધી વર્માએ જણાવ્યું કે, કુલ સાત તબક્કામાં કુલ 167 કીલો જેટલું સોનું બેંકમાં આ ગોલ્ડ મોનીટાઇઝેસન સ્કીમમાં મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી આઠમી વખત થોડા સમય પહેલા 3 કિલો જેટલુ સોનુ ગોલ્ડ મોનીટાઇઝેસન સ્કીમમાં મુકવામાં આવ્યુ છે. જેનું મળતું વ્યાજની રકમ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરે દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુંઓની વિવિધ સુખસુવિધા માટે વાપરવામાં આવે છે તેમ વહીવટદારે જણાવ્યુ હતુ.


પવિત્ર અધિક માસના સોમવારે કરો અનોખા હિંડોળાના દર્શન, નોટ-સિક્કાથી સજાવ્યું ઠાકોરનું પારણું