Gujarat Temples : દ્વારકાધીશ મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાય છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે. ત્યારે આ મંદિર પર સંકટ આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. હાલ મંદિરના પત્થરોમાં તિરાડો જોવા મળી રહી છે. જો આ સ્થિતિ રહેશે તો જગત મંદિરની જાળવણી કરવી બહુ જ મુશ્કેલ બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાધીશ મંદિર સ્ટ્રક્ચરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. મંદિરમાં અનેક સ્થળોએ મોટા ગાબડા પથ્થરોના જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે. આ જોઈન્ટ્સ ખૂલી જવાથી દિવાલોના પોપડા અને ધૂળની રજકણો પડી રહી છે.


ગુજરાતમાં યુવનોને આવી રહેલા હાર્ટ એટેકનું સાચું કારણ મળ્યું, આ કારણે થાય છે મોત


દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે. પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે. તો બીજી તરફ, જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, સાત માળના શિખરના મોટાભનાગ પિલર, કમાન, ફ્લોરીગમાં જોઈન્ટ ખૂલી રહ્યાં છે. એકબીજા સાથે જોડાયેલા પથ્થરોમાં તિરાડો પડી રહી છે. 


આ રહી લિંક અને વોટ્સએપ નંબર, જેના પરથી તાત્કાલિક મળશે ધોરણ-12નું પરિણામ


બીજી તરફ, મંદિરમાં જીર્ણોદ્વાર માટે અનેકવાર રીપેરીંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, છતા હજી સુધી કોઈ કામગીરી આગળ વધી નથી. જો આવું ને આવું થતું રહેશે તો મંદિર પર મોટુ સંકટ આવી પડશે. ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં આર્કિયોલોજી ઓફ ઈન્ડિયાની સર્કલ ઓફિસ પણ શરૂ કરાઈ છે. આ કચેરી દ્વારા મંદિર શિખરની જર્જરિત હાલત અંગે કોઈ કાર્યવાહી કરાઈ હોય તેવુ દેખાતુ નથી. 


રાજકોટના વેશ ઝાઝા : એક સમયે ખીલીના મશીન બનતાં, આજે ટેન્ક-પ્લેન, રોકેટ્સના પાર્ટ બને