Navpancham Yoga: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડે છે. ગુરુ ગ્રહે ઍ મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. જ્યારે કેતુ ગ્રહ 30 ઓક્ટોબરના રોજથી કન્યા રાશિમાં છે. આવામાં આ બંને ગ્રહ એકબીજાથી નવમા અને પાંચમા ભાવમાં સ્થિત છે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે આ લોકોની ધન સંપત્તિમાં ખુબ વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...


વૃષભ રાશિ
નવપંચમ રાજયોગ તમારા માટે ખુબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં ખુબ વધારો થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં પણ ખુબ સુધારો આવશે. કાર્યયોજનાઓ સફળ થઈ શકે છે.


તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે. આ સમયગાળામાં વેપારી વર્ગ  કોઈ મોટી સફળતા મેળવી શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. ધન કમાવવાની સાથે સાથે ધનની બચત કરવામાં પણ સફળતા મળશે. 


મિથુન રાશિ
નવપંચમ યોગ બનવાથી મિથુન રાશિના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ દરમિયાન  તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. નવા રોકાણમાં લાભ થશે.


તમને કારોબારમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ પહેલા કરતા સારા થશે. જીવનસાથીની પ્રગતિ થશે. આ સમયગાળામાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. 


મકર રાશિ
નવપંચમ રાજયોગ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમારી ધન સંપત્તિમાં વધારો થશે. વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. પૈતૃક સંપત્તિથી મોટો લાભ થશે.


કરિયરમાં અનેક શાનદાર તકો મળશે. વેપારીઓને ધંધામાં સારો એવો ફાયદો  થઈ શકે છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. ધનની બચત કરવામાં સફળ રહેશો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube