નવી દિલ્હીઃ Hanuman Chalisa Mantra: હનુમાનજીને હંમેશાં સંકટ મોચક ગણાવાયા છે. ભગવાન હનુમાન ભક્તોનું તમામ દુખ એક ઝાટકે હરી લે છે. હનુમાનજીની હ્રદયપૂર્વક પૂજા કરવામાં આવે તો આવતા વિધ્નો દૂર ભાગે છે. ગુજરાતમાં સાળંગપુરના મંદિરે હજારો લોકો લાઈનો લગાવે છે.  શાસ્ત્રોમાં મંગળવારે બજરંગબલીની પૂજા કરવાની રીત જણાવવામાં આવી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના કેટલાક દોહાના જાપ કરવાથી વ્યક્તિને શ્રેષ્ઠ ફળ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પાપોનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજી કલિયુગના એવા દેવતા છે, જે પૃથ્વી પર બિરાજમાન છે અને સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના દુ:ખ દૂર થાય છે. હનુમાનજીની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તો બજરંગબલીના આશીર્વાદ મેળવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસામાં કેટલાક એવા દોહા છે, જેનો જાપ કરવાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં, વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.એવું માનવામાં આવે છે કે માત્ર આ દોહાના જાપ કરવાથી બજરંગબલી ભક્તોની રક્ષા કરે છે. જાણો હનુમાન ચાલીસાના બે શબ્દો અને તેના અર્થ વિશે.


આ પણ વાંચોઃ કેમ મહિલાઓ કોઈ વાત છુવાપી શકતી નથી? મહાભારત કાળનો આ શ્રાપ છે કારણભૂત


હનુમાન ચાલીસાના દોહા
बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन कुमार।
बल-बुद्धि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार।।
દોહાનો અર્થ- આ દોહામાં કહેવામાં આવ્યું છે કે હે બજરંગબલી, હું બુદ્ધિહીન છું. હું તમારી પૂજા કરું છું અને યાદ કરું છું. તમે મને શક્તિ, શાણપણ અને જ્ઞાન આપો. તેમજ મારી તકલીફો, દુ:ખો અને કષ્ટો દૂર કરો.


આ દોહા જાપ કરવાથી લાભઃ- એવું માનવામાં આવે છે કે આ દોહાનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો તમે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો આ દોહાનો જાપ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. અને તમને સફળતા મળશે. હનુમાનજીની મૂર્તિની સામે નિયમિત ઉભા રહીને તેનો જાપ કરવાથી લાભ થાય છે. જો નિયમિત રીતે શક્ય ન હોય તો મંગળવાર અને શનિવારે ઓછામાં ઓછા 108 વાર આ દોહાનો જાપ કરો.  તુલસીની માળા સાથે તેનો જાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે.


भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावे।
દોહાનો અર્થ અને લાભઃ- આ દોહાનો અર્થ એ છે કે હે બજરંગબલી તમારું નામ યાદ કરવાથી ભૂત-પિશાચ ભાગી જાય છે. આટલું જ નહીં, દુષ્ટ શક્તિઓ પણ પ્રભાવિત નથી. એવું માનવામાં આવે છે કે આ દોહાનો નિયમિત જાપ કરવાથી નકારાત્મક ઉર્જા તમારી નજીક નથી આવતી. જો કોઈ વ્યક્તિને રાત્રે ડર લાગતો હોય તો સૂતાં પહેલા હનુમાન ચાલીસાના આ દોહાનો જાપ કરવો જોઈએ. જેના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે.


આ પણ વાંચોઃ આજથી સૂર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચર, આ પાંચ રાશિના જાતકોને કરિયરમાં મળશે લાભ


नासे रोग हरे सब पीड़ा,
जपत निरंतर हनुमत वीरा!!
દોહાનો અર્થ અને લાભ- તેનો અર્થ છે કે હે હનુમાનજી તમારા નામનો જાપ કરવાથી તમામ રોગો અને દોષ દૂર થાય છે અને વ્યક્તિના તમામ દુઃખ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મંગળવાર અને શનિવારે આ દોહાનો જાપ કરવાથી વ્યક્તિના તમામ રોગ અને કષ્ટ દૂર થઈ જાય છે. બીજી તરફ મંગળવારે જાપ કરવાથી વ્યક્તિના તમામ રોગો દૂર થાય છે. માનસિક તણાવથી છુટકારો મળે છે.


संकट तें हनुमान छुड़ावै, मन क्रम बचन ध्यान जो लावै॥
દોહાનો અર્થ અને લાભ- આમાં કહેવામાં આવ્યું છે કે હું મારા મન અને મારા કાર્યોથી હનુમાનજીનું ધ્યાન કરું છું. બજરંગબલી હનુમાનજી તમામ મુશ્કેલીઓ અને અવરોધોથી વ્યક્તિને બચાવે છે. એવું માનવામાં આવે છે કે દર મંગળવાર અને શનિવારે આ દોહાનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. બીજી તરફ શનિવારે આ દોહાનો જાપ કરવાથી શનિ દોષથી રાહત મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube