Moon-Jupiter Conjunction: જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને પોતાનું અલગ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે દરેક ગ્રહ ચોક્કસ અવધિ પૂર્ણ કર્યા પછી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. બધા ગ્રહોમાં ચંદ્રનો સમયગાળો સૌથી ઓછો છે. તમને જણાવી દઈએ કે ચંદ્ર અઢી દિવસમાં પોતાની રાશિ બદલી નાખે છે. આવી સ્થિતિમાં 10 જુલાઈએ ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. જણાવી દઈએ કે ગુરુ મેષ રાશિમાં બેઠો છે અને ચંદ્ર સાથે યુતિ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ બે ગ્રહો એક જ રાશિમાં મળવાથી શુભ અને અશુભ ફળ મળે છે. ગુરુ અને ચંદ્રના સંયોગને કારણે કેટલીક રાશિના લોકોને જીવનમાં શુભ પરિણામ મળશે. તેનાથી તેમને આર્થિક ફાયદો થશે. એટલું જ નહીં, તેમના પારિવારિક જીવનમાં ખુશીઓ પાછી આવશે. 


મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બંને ગ્રહોના સંયોગની સારી અસર મેષ રાશિના લોકો પર જોવા મળશે. ઉદ્યોગપતિઓના જીવનમાં સફળતાનો સમયગાળો શરૂ થશે. આવી સ્થિતિમાં મનને શાંત રાખો અને પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરો. તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે અને ઘરમાં સુખદ વાતાવરણ રહેશે.


કર્ક 
તમને જણાવી દઈએ કે ચંદ્રનો મેષ રાશિમાં પ્રવેશ અને ગુરુ સાથે જોડાણને કારણે કર્ક રાશિના જાતકોને પણ સાનુકૂળ પરિણામ મળશે. આ સમયે ઘણો આર્થિક લાભ થશે. કમાણી ના નવા રસ્તા ખુલશે. આ સમયે પરિવારના સભ્યોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે આ સમયે સંબંધો સંબંધિત તણાવ દૂર થઈ જશે. 


ધનુ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, રાશિચક્રમાં બનેલા બે ગ્રહોના સંયોગથી ધનુ રાશિના લોકોના જીવન પર પણ વિશેષ અસર પડશે. ધનુ રાશિના લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે. આ સમયે અટકેલા કામ પૂરા થશે. બીજી બાજુ, જો તમે કોઈ ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા છો, તો તમને તે કાર્યમાં સફળતા મળશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી
Threads: 5 કરોડ યૂઝર્સ સાથે Threads ની દમદાર શરુઆત, 24 કલાકમાં થઈ 9.5 કરોડ પોસ્ટ

Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube