Astro Tips For Business: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો વેપાર ખૂબ જ વધે અને તેને સફળતા મળે. પરંતુ ઘણી વખત મહેનત કર્યા છતાં પણ સફળતા મળતી નથી. દિવસ રાત વેપારમાં મહેનત કરવામાં આવે તેમ છતાં નુકસાન વધી જાય છે અને આર્થિક તંગી થવા લાગે છે. આવી સ્થિતિ ઘણી વખત એવા સમયે પણ થાય છે જેમાં દેવી-દેવતાઓ અને ગ્રહ નક્ષત્ર ખુશ ન હોય. તેવામાં કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી આ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આવા જ ચમત્કારી ઉપાયોમાંથી એક ઉપાય ધતુરાનો છે. જે લોકોને વેપારમાં નુકસાન જઈ રહ્યું હોય અને કરજ વધી રહ્યું હોય તેમણે ગુરુવારના દિવસે શિવલિંગ ઉપર ધતુરો અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી તમારા વેપારમાં આવતી સમસ્યાઓથી મુક્તિ મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


બજરંગ બલી પુરી કરશે દરેક ઈચ્છા અને દુર કરશે સંકટ, આ રીતે કરો હનુમાન ચાલીસાનો ઉપાય


ઘરનાં આંગણામાં આ છોડ હોય તો ભૂલથી પણ ના તોડતા તેના પાન, માં લક્ષ્મી થાય છે નારાજ


મોત બાદ નરક મળે તો આત્માને આ કષ્ટ કરવા પડે છે સહન, આટલા દિવસે આત્મા પહોંચે છે યમલોક


પ્રદોષ વ્રત પર કરો આ ઉપાય


કોઈપણ મહિનાની તેરસની તિથિ એટલે કે પ્રદોષ વ્રત હોય ત્યારે એક ધતુરો લઈને શિવલિંગ ઉપર અર્પણ કરવો. ત્યાર પછી એક કળશ પાણી ચઢાવવું. સાથે જ હાટકેશ્વર મહારાજનું નામ લેવું. ભગવાનને પ્રાર્થના કરવી અને પછી ધતુરાને પોતાની સાથે ઘરે લઈ આવો. તેને ઘરના પવિત્ર સ્થાન પર રાખો અથવા તો વેપારની જગ્યાએ પણ તમે તેને રાખી શકો છો. આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થશે અને કરજ દૂર થશે.


વેપાર વધારવા કરો કપૂરનો ઉપાય


જો વેપારમાં સમસ્યાઓ આવી રહી હોય તો એક કાચની વાટકીમાં કપૂરના સાત ટુકડા, બે ફટકડીના ટુકડા અને એક ટુકડો નમકનો લઈને વેપારની જગ્યાએ રાખી દો. દર પંદર દિવસે આ વસ્તુઓને બદલો. આમ કરવાથી વેપારમાં નુકસાન થતું અટકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)