Ravivar ke Totke: સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત માનવામાં આવ્યો છે. આવી જ રીતે રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે. માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર સૂર્યદેવની કૃપા હોય તે હંમેશા નીરોગી રહે છે અને જીવનમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. સૂર્યદેવના આશીર્વાદ હોય તો જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેવામાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે લોકોએ રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. રવિવારે આ કામ કરવાથી પરિવાર પર સંકટ આવે છે અને ઘરમાં દરીદ્રતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


શરીરના આ ભાગ પર પડે ગરોળી તો સમજી લેજો થવાના છો માલામાલ, જાણો ગરોળીના શુકન અપશુકન


6 માર્ચે ઉદય થશે શનિ, આ 5 રાશિના જાતકો રહે સાવધાન, સમસ્યાનો કરવો પડશે સામનો


મિથુન રાશિમાં પ્રવેશ કરશે મંગળ, આ 4 રાશિના લોકો થશે માલામાલ, દરેક કાર્ય થશે સફળ


માંસ મદિરાનું સેવન


જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે રવિવારના દિવસે માંસ અને મદીરાનું સેવન કરવું નહીં. સાથે જ શનિ સંબંધિત વસ્તુઓનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. 


પશ્ચિમ દિશામાં યાત્રા


રવિવારના દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું પણ વર્જિત માનવામાં આવ્યું છે. આ દિશામાં શૂલ હોય છે. તેવામાં આ દિશામાં રવિવારે યાત્રા કરવાથી વ્યક્તિ સાથે અનિષ્ટ થાય તેવી આશંકા રહે છે. જો યાત્રા કરવી ફરજિયાત હોય તો ઘરમાંથી ઘી અને દલીયા ખાઈને નીકળવું.


કાળા અથવા બ્લુ કપડાં ન પહેરો


રવિવારના દિવસે કાળા, બ્લુ કે કથ્થઈ રંગના કપડા પહેરવા નહીં. આ રંગ કેવો છે જે નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે અને તેના કારણે ઘરમાં બીમારી અને ગરીબી આવે છે. 


સૂર્યાસ્ત પછી ભોજન


વિધવા નું કહેવું છે કે રવિવારના દિવસે ભોજન સૂર્યાસ્ત થાય તે પહેલા કરી લેવું જોઈએ. સાથે જ ભોજનમાં નમકનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. 


સૂર્ય સંબંધિત વસ્તુનું ન કરો વેચાણ


શાસ્ત્રોમાં કહેવાયું છે કે રવિવારના દિવસે સૂર્ય સંબંધિત કોઈ પણ વસ્તુ વેચવી જોઈએ નહીં. તેનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સાથે જ તાંબાથી બનેલી કોઈ વસ્તુ ઘરમાંથી રવિવારના દિવસે કાઢવી જોઈએ નહીં.