Diwali 2023 Date: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો દિવાળી ખરીદી અને તૈયારીઓમાં લાગી ગયા છે. બજારોમાં ખરીદી માટે ભીડ જામી ગઇ છે.  ત્યારે દિવાળીના પર્વ પર પૂજા અને દિવાનું વિશેષ મહત્વ હોય છે. દિવાળીના દિવસે માં મહાલક્ષ્મીની પુજા અર્ચના કરવામાં આવે છે. માં લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીનાં દિવસે માં લક્ષ્મી ધરતી પર પ્રકટ થાય છે અને પોતાના ભક્તોની સમસ્યાનું નિવારણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખોમાં જન્મેલા લોકો પર હોય છે શનિની વિશેષ કૃપા, જીવે છે રાજા જેવું જીવન
Numerology: ગજબનું આકર્ષણ હોય છે આ લોકોમાં, પહેલી મુલાકાતમાં બધા બની જાય છે દિવાના
દિવાળી પહેલાં રાહુ-કેતુ બદલશે ચાલ, જ્યોતિષની આ ત્રણ રાશિવાળા થશે માલામાલ


દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે. 


Budh Gochar 2024: નવું વર્ષ આ 3 રાશિઓ માટે સાબિત થશે લકી, ખુલી જશે કિસ્મતના દ્વાર
વર્ષ 2024 માં શનિ થશે વક્રી, 5 મહિના સુધી ચમકશે આ રાશિઓની ચમકી જશે કિસ્મત


દિવાળીના ખાસ પ્રસંગે લક્ષ્મી પુજન પહેલા ઘરને દિવાની રોશની કરવામાં આવે છે. આ પ્રસંગે તમે પણ તમારા ઘરનાં ખાસ ભાગમાં રોશની જરૂર કરો. 
1. લક્ષ્મી પુજન કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર બંન્ને તરફ એક એક દિવડો પ્રગટાવો
2. જો તમારા ઘરમાં આંગણુ (ફળીયું) હોય તો તેમાં પણ દિવા પ્રગટાવવા
3. દિવાળીનાં દિવસે ઘરની નજીક આવેલા મંદિરમાં 5 દીવા જરૂર પ્રગટાવો અને માં લક્ષ્મી પાસે સુખ શાંતિની પ્રાર્થના કરો.
4. ઘરની પાસે ચાર રસ્તા પર પણ દીવડા પ્રગટાવો
5. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવો
6. દિવાળીનાં દિવસે ઘરનાં છાપરા પર અંધારૂ ન રહેવા દો અને ત્યાં પણ દીવડા પ્રગટાવો
7. લક્ષ્મી પુજનની સમાપ્તિ બાદ ઘરની નજીક રહેલા પીપળાના વૃક્ષ પર દીવડો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. 
8. દિવાળી દરમિયાન લક્ષ્મી પુજન દરમિયાન એક મોટો દીવડો પ્રગટાવો જે આખી રાત અખંડ રહે.
9. ઘરમાં બનેલી રંગોળી વચ્ચે પણ એક દીવડો પ્રગટાવો
10. ઘરમાં બાથરૂમના દરવાજા પર પણ દીવો પ્રગટાવવાનું ન ચુકશો.


Lucky Girls Zodiac: લગ્ન પછી પતિ માટે કુબેરનો ખજાનો સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, હાથમાંથી ખરે છે રૂપિયા!
શિયાળામાં નજીવું આવશે લાઇટ બિલ! બસ ગીઝર ચલાવવા માટે અપનાવો આ Secret Trick
જાણી લો તે આદતો, જે પતિ-પત્નિના સંબંધોમાં લાવી શકે છે દરાર


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube