Shukra Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખનો કારક માનવામાં આવ્યો છે. શુક્ર જ્યારે પણ રાશિ બદલે છે ત્યારે લોકોના ધન, પ્રેમ અને વિલાસતા પર અસર કરે છે. આગામી 3 નવેમ્બર 2023 ના રોજ શુક્ર ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 12 નવેમ્બરે શુક્ર હસ્ત નક્ષત્રમાં અને 24 નવેમ્બરે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 30 નવેમ્બરે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે 3 નવેમ્બર થી 30 નવેમ્બર સુધીનો સમય કેટલીક રાશિના લોકો માટે ખાસ રહેવાનો છે. શુક્રના આ રાશિ પરિવર્તનથી આ ચાર રાશિના લોકોને અચાનક મોટો ધન લાભ પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિને થશે ફાયદો


આ પણ વાંચો:


કેતુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોની માનસિક સ્થિતિ પડશે નબળી, વેપારમાં થશે લાભ


રાહુના મીન રાશિમાં પ્રવેશથી આ રાશિઓના લોકોનું સ્વાસ્થ્ય થશે પ્રભાવિત, રહેવું સાવધાન


દિવાળી પહેલા શુક્ર-શનિ ભરી દેશે 4 રાશિઓની ખાલી તિજોરી, રુપિયામાં રમશે આ લોકો


વૃષભ રાશિ


વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના લોકોને જીવનમાં પ્રેમ પ્રાપ્ત થશે. પરિવારમાં સુખનું આગમન થશે અને સંતાન સુખની પ્રાપ્તિ થશે. આ સમય દરમિયાન માનસનમાં અને પદ પ્રતિષ્ઠા વધશે. વૃષભ રાશિના જાતકોની આવકમાં વધારો થશે.


તુલા રાશિ


શુક્રના રાશિ પરિવર્તનથી તુલા રાશિના લોકોને અચાનક મોટો ધંધા લાભ થઈ શકે છે. ઘણા સ્ત્રોતમાંથી પૈસા પ્રાપ્ત થશે. તમે સુખ સુવિધાની વસ્તુઓ પર પૈસા ખર્ચ કરી શકો છો. નવું મકાન કે વાહન ખરીદી શકો છો. લગ્ન નક્કી થઈ શકે છે સમાજમાં પદ પ્રતિષ્ઠા વધશે.


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિને શુક્રનું રાશિ પરિવર્તન લાભ કરાવશે. ભાગ્યનો સાથ મળશે અને આવકના નવા સ્ત્રોત બનશે. કરિયર અને વેપારમાં ઇચ્છિત સફળતા મળશે. નવેમ્બર મહિનામાં કોઈ મોટો લાભ પ્રાપ્ત થઈ શકે છે.


મીન રાશિ


મીન રાશિના દાંપત્ય જીવનને શુક્રનું ગૌચર અસર કરશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. શુક્રના ગોચરથી દરેક ક્ષેત્રમાં શુભ ફળ મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)