નવી દિલ્લીઃ 7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવું, આનાથી લગ્ન કરવામાં આવતું વિઘ્ન દૂર થશે. આપણા દરેકના જીવન પર ગ્રહ-નક્ષત્ર (astrology Upay) ની અસર પડે છે. ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે આપણા જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુ:ખ  જો તમે કોઈ સમસ્યા (Jyotish Remedy) થી પીડાતા હોવ અને તેનું સમાધાન નથી મળતુ તો તમારે જ્યોતિષ વિદ્યાયાના ઉપાયો જીવનમાં ઉતારવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધારના ભારથી ચિંતામાં છો?
ઓમ ભૌમાય નમ: નો રોજ 108 વખત જાપ કરો.  મન્ડગલો ભૂમીપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ:. સ્થિરાસનો મહાકય: સર્વકામફલપ્રદ:. નો જાપ કરો. મહાવીર હનુમાન તમને સહાય કરશે.


ઝગડાઓના કારણે દુશ્મનો વધી ગયા છે?
ઓમ ક્રાં ક્રીં ક્રૌં સ: ભોમાય નમ: નો દર મંગળવારે  જપ કરો. મંગળવારનો દિવસ સકારાત્મકતા વધારવાનો દિવસ છે. આ મંત્રનો જાપ કરવાથી તમે ઝડપથી સાચા અને સારા મિત્ર બનાવી શકશો.


લગ્ન નથી થઈ રહ્યાં?
7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવો.


બાળક દિવસેને દિવસે ખરાબ થતું જાય છે?
બાળક પાસે લાલ વસ્તુઓ જેવી કે ગોળ,મસૂરની દાળ, સિંધાઈ મીઠાનું દાન કરાવો. દાન કરવાથી સકારાત્મકતા પેદા થાય છે. આ સાથે ઘરમાં સ્વચ્છતા રાખો. પલગ પર ભીના કપડા ના મુકવા. આ ઉપાયથી તમારા બાળકમાં સુધારો જરૂર આવશે.


વેપારમાં નુકસાનીથી હેરાન છો?
જો તમે વેપારમાં થયેલા નુકસાનથી પરેશાન છો તો મંગળ અને શુક્રવારે ગરીબોને ગોળ અને ચણાનું દાન કરો. બાળકોને ખાટી-મીઠી ગોળીઓ આપવાથી ફાયદો થશે. આ ઉપાય કરવાથી તમારા વેપારમાં વધારો થશે.


(નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતીને આધારે આપવામાં આવી છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં તમારે આ અંગે નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. અમે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવનારી વાતને સમર્થન નથી આપતાં)


Health Tips: રાત્રે ઊંંઘ નથી આવતી? રોજ-રોજ ઊજાગરા થાય છે? આ રહ્યું તમારી સમસ્યાનું સમાધાન


માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube