Dhan Labh Totke: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે અચાનક એવો ચમત્કાર થાય અને તેની પાસે રાતોરાત ધન આવી જાય. જોકે મોટાભાગના લોકો એવું માને છે કે આવું રીયલ લાઇફમાં થવું શક્ય નથી. પરંતુ વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો કેટલાક એવા અચૂક અને ચમત્કારી ઉપાય છે જેને કરવાથી વ્યક્તિનું આ સપનું પૂરું થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક અચૂક ઉપાય કરવાથી વ્યક્તિ અમીર બનવાનું સપનું પૂરું કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી ચમત્કારી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને તિજોરીમાં અથવા તો પર્સમાં રાખવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે આ વસ્તુઓ પર્સમાં રાખવાથી રાતોરાત ધનની આવક વધે છે.


આ પણ વાંચો:


ઘરની આ જગ્યાએ ઝાડૂ-પોતા રાખવાથી ઘરમાં વધે છે દરિદ્રતા, પર્સમાં નથી ટકતા રુપિયા


મિથુન, કર્ક અને સિંહ રાશિ માટે આગામી સપ્તાહ શુભ, જાણો તમારી રાશિનું સાપ્તાહિક રાશિફળ


30 વર્ષ પછી આ રાશિઓ પર પ્રસન્ન થશે માં દુર્ગા, નવરાત્રિ દરમિયાન ધનના થશે ઢગલા


હળદરનો ઉપાય


ધનના દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આમ તો ઘણા ઉપાય કરવામાં આવે છે પરંતુ હળદરનો ઉપાય ખૂબ જ ચમત્કારી અને શીઘ્રફળ આપનાર છે. જો કોઈ વ્યક્તિને રાતોરાત ધનવાન બનવું હોય તો રાતે સુતા પહેલા તિજોરીમાં હળદરની ગાંઠ રાખી દેવી. હળદરની ગાંઠને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધન આકર્ષિત થાય છે. જે લોકો પહેલાથી જ આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે તેમને હળદરનો આ ઉપાય કરવો જોઈએ તેનાથી જીવનમાં ધનની ખામી દૂર થાય છે.


ચાંદીનો સિક્કો


ઘરની તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખવાથી પણ ધન આકર્ષિત થાય છે. આ ઉપાય પૈસા સંબંધિત સમસ્યા દૂર કરવા માટે અસરકારક છે. તેના માટે ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો અને તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખી દેવો 


માતા લક્ષ્મીની તસ્વીર


જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘરની તિજોરીમાં ધન સતત વધતું રહે તો તિજોરીમાં માતા લક્ષ્મીની એવી તસવીર સ્થાપિત કરો જેમાં તે કમળ પર બિરાજમાન હોય. તિજોરીમાં આ તસવીર રાખવાથી કિસ્મત રાતોરાત બદલી જાય છે અને વ્યક્તિ ધનવાન બને છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)