Vastu Tips: મોબાઈલ જોઈને કોઈપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે. કારણ કે આજકાલ લોકોમાં મોબાઈલ ફોનને પોતાના વ્યક્તિત્વ પ્રમાણે સજાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં સૌથી મહત્વનું હોય છે મોબાઈલનું વોલપેપર. મોબાઈલનું વોલપેપર વ્યક્તિની પ્રગતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મોબાઈલના વોલપેપર લોકો પોતાના મૂડ, સમય અને વ્યક્તિત્વ અનુસાર બદલતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે વોલપેપર તેમની પ્રગતિ અને ધનલાભનું કારણ પણ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક ફોટો એવા હોય છે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિ પોતાના મોબાઈલના વોલપેપર તરીકે કરે છે તો તે તેની પ્રગતિનો માર્ગ ખોલે છે અને સાથે જ ધન લાભનું કારણ પણ બને છે. તો ચાલો આજે જાણીએ કે કયા મોબાઈલ વોલપેપરથી તમને ફાયદો થશે.


આ પણ વાંચો: Shaniwar Upay: શનિવારે કરો આ 7 મંત્રોનો જાપ, શનિ દેવ દુર કરી દેશે જીવનની દરેક સમસ્યા
 
ધન લાભ અને પ્રગતિ માટે


જો કોઈ વ્યક્તિ પોતાના લેપટોપ અથવા મોબાઈલના વોલપેપર તરીકે એવો ફોટો રાખે જેમાં વ્યક્તિ સીડી ચઢતો હોય તો તે વ્યક્તિને તેની મહેનતનું ફળ મળવા લાગે છે અને સાથે જ ધન લાભના નવા નવા રસ્તા પણ ખુલે છે. 


માનસિક શાંતિ માટે


જો તમે કોઈ વાતને લઈને ચિંતિત હોય અથવા કોઈ પ્રકારનો સ્ટ્રોસ રહેતો હોય તો તમારા મોબાઈલ વોલપેપરમાં વરસાદના ટીપાં અથવા યોગા પોશ્ચર વોલપેપર રાખો. આમ કરવાથી તમારું મન શાંત થશે અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ મળશે.


આ પણ વાંચો: મંગળ 5 ફેબ્રુઆરીએ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિઓનું ભાગ્ય મારશે પલટી, ચારેતરફથી થશે લાભ


લગ્નમાં આવતી બાધા દુર કરવા


જો તમારા લગ્નની વાત બનતી બનતી અટકી જાય છે તો  મોબાઈલ વોલપેપર પર ગુલાબના ફૂલનો ફોટો લગાવો. ગુલાબના ફૂલનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે અને શુક્ર લગ્ન જીવનનો કારક છે. આમ કરવાથી લગ્નમાં આવતી તમામ પ્રકારની અડચણો દૂર થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)