Pitru paksh katha: મહાભારતની વાર્તા અનુસાર કર્ણને દાનવીર યોદ્ધા માનવામાં આવે છે પરંતુ જ્યારે કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં પહોંચ્યો ત્યારે તેને ખોરાકને બદલે માત્ર સોનું જ મળ્યું હતું. કર્ણને આ જોઈને આશ્ચર્ય થયું. ત્યારે સ્વર્ગના દેવતા દેવરાજ ઈન્દ્રએ કર્ણને કહ્યું કે તેણે પોતાના જીવનમાં એક મોટી ભૂલ કરી છે, જેના કારણે આ થઈ રહ્યું છે. વાસ્તવમાં કર્ણે તેના પૂર્વજો માટે ક્યારેય તર્પણ કે શ્રાદ્ધ કર્યું ન હતું. આવો પિતૃપક્ષ દરમિયાન કર્ણ દ્વારા તેના પૂર્વજોને અર્પણ કરવાની વાર્તા વિગતવાર જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાપરા સંભાળજો! તેજ રફ્તાર પકડશે પવન, ગુજરાતમાં વરસાદ અંગે હવામાનની સૌથી મોટી આગાહી


મહાભારતની કથા અનુસાર કર્ણ એટલો દાનવીર હતો કે બધું જાણતો હોવા છતાં તેણે ભગવાન ઈન્દ્રને પોતાનું કવચ અને કુંડળ દાનમાં આપી દીધા હતા. કર્ણ જાણતો હતો કે કવચ અને કુંડળ એની પાસે હશે ત્યાં સુધી મોત એની આજુબાજુ પણ ભટકી નહીં શકે. આમ છતાં કર્ણ તેના પરોપકારી સ્વભાવથી પાછો હટ્યો નહીં. કર્ણ અને પિતૃપક્ષને લગતી બીજી વાર્તા મહાભારતમાં જોવા મળે છે. આ કથા અનુસાર જ્યારે કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં પહોંચે છે ત્યારે તેને ખાવા માટે કંઈ ન મળ્યું. આવી સ્થિતિમાં કર્ણ આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પૃથ્વી પરના જીવન દરમિયાન તેણે સંતો અને ગરીબોને સોનું દાન કર્યું હતું તો પછી તેને દાનનું પુણ્ય કેમ ન મળ્યું? શા માટે તેઓને ખોરાકને બદલે સોનું મળી રહ્યું છે? કર્ણના પ્રશ્નોના જવાબ દેવરાજ ઈન્દ્રએ આપ્યો હતો. આવો પિતૃ પક્ષમાં મહાભારતની આ અદ્ભુત કથા જાણીએ.


ધરમૂળથી બદલાઈ જશે ગુજરાતનો નકશો! 33થી 36 એ પહોંશે જિલ્લાઓનો આંકડો, બનશે 3 નવા જિલ્લા


કર્ણ પોતાના જીવનમાં હંમેશા દાન આપીને પરોપકારી તરીકે જાણીતા હતા.
કર્ણ દુર્યોધન વતી યુદ્ધ લડીને મિત્રતા નિભાવી હતી. કર્ણ જાણતા હતા કે આ યુદ્ધમાં એમની હાર થવાની છે આમ છતાં તેમણે પીછેહઠ કરી ન હતી. કર્ણનો જન્મ કવચ અને કુંડળ સાથે થયો હતો, જેણે કર્ણને રક્ષણ પૂરું પાડ્યું હતું. મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ જાણતા હતા કે કર્ણના શરીર પર જ્યાં સુધી કવચ અને કુંડળ હશે ત્યાં સુધી એને હરાવી શકાશે નહીં. તેમણે અર્જુનને આ વાત કરી હતી. અર્જુનને ઈન્દ્રદેવનો પુત્ર માનવામાં આવે છે કારણ કે પાંડવોની માતા કુંતીએ ઈન્દ્રદેવનું આહવાન કરીને અર્જુનને પ્રાપ્ત કર્યો હતો.


દુશ્મનો જે દેશથી ફફડે છે તે ઈઝરાયલે ગુજરાતની કંપનીને આપ્યો 10 હજાર ડ્રોનનો ઓર્ડર!


ઇન્દ્રદેવે કર્ણ પાસે દાન સ્વરૂપે કુંડલ કવચ માંગ્યા
જ્યારે ઇન્દ્રદેવને કુંડળ અને કવચ વિશે ખબર પડી ત્યારે તેના પુત્રની રક્ષા કરવા માટે ઇન્દ્રદેવ ઋષિનો વેશ ધારણ કરીને નદીમાં સ્નાન કરી રહેલા કર્ણની પાસે ગયા હતા. કર્ણ સ્નાન કરીને નદીમાંથી બહાર આવ્યો કે તુરંત જ ઋષિના વેશમાં આવેલા ઈન્દ્રએ તેની પાસે દાન માંગ્યું હતું. કર્ણે ઈન્દ્રદેવને કહ્યું કે તે સ્નાન કરીને જ બહાર આવ્યો છે, તેથી તેની પાસે કંઈ નથી. તે મહેલમાં જઈને ઋષિને કંઈક આપશે, પરંતુ ઋષિએ આગ્રહ કર્યો કે તેને અત્યારે દાન જોઈએ છે. જ્યારે કર્ણે કહ્યું કે આ સમયે તે દાનમાં શું આપી શકે? તેથી ઋષિના વેશમાં આવેલા ઈન્દ્રદેવે કહ્યું કે તેને કર્ણનું કવચ અને કુંડળ જોઈએ છે. આ સાંભળીને કર્ણએ પોતાની દાનવીરતાનો પરિચય દેખાડી કવચ અને કુંડળ દાન કરી દીધા હતા.


કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં કપટથી માર્યો ગયો અને સ્વર્ગમાં પહોંચ્યો
કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં કપટથી કર્ણનો વધ થયો હતો. વાસ્તવમાં કર્ણને મળેલા અનેક શ્રાપ તેના મૃત્યુનું કારણ બની ગયા અને જ્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ધસી ગયું ત્યારે અર્જુને કપટથી કર્ણ પર હુમલો કર્યો હતો. યુદ્ધના નિયમો અનુસાર, કોઈપણ નિઃશસ્ત્ર યોદ્ધા પર હુમલો કરી શકાતો ન હતો, પરંતુ કર્ણને મારવા માટે કપટનો ઉપયોગ કરવો પડ્યો હતો કારણ કે કર્ણ અન્યાય સાથે ઉભો હતો. મહાભારતની કથા મુજબ કર્ણના પુણ્ય કર્મોને કારણે તેને મૃત્યુ પછી સ્વર્ગ તો મળ્યું પરંતુ સ્વર્ગમાં પહોંચ્યા પછી પણ કર્ણને ભૂખ્યા જ રહેવું પડ્યું.


પ્રથમ નોરતે શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, ધનલાભ થશે


કર્ણને સ્વર્ગમાં માત્ર સોનું મળ્યું.
સ્વર્ગમાં પહોંચ્યા પછીકર્ણને સર્વત્ર સોનું દેખાયું. ઇન્દ્રદેવે કર્ણને સોનું ભેટમાં આપ્યું અને ભોજનની થાળીમાં પણ સોનું હતું. આ જોઈ કર્ણને ખૂબ જ આશ્ચર્ય થયું. કર્ણએ ઈન્દ્રદેવને પ્રશ્ન કર્યો કે તેણે પોતાના જીવનમાં સોનાના બખ્તર અને કાનની બુટ્ટી પણ ઈન્દ્રદેવને આપી દીધી હતી તો પછી તેને ભોજનને બદલે સોનું કેમ મળે છે? આખરે તેણે કયો ગુનો કર્યો છે? કર્ણનો પ્રશ્ન સાંભળીને દેવરાજ ઈન્દ્ર હસ્યા અને બોલ્યા  "હે મહાન પરોપકારી કર્ણ! તમે ખૂબ જ ઉદાર વ્યક્તિ છો, પરંતુ માત્ર સોનું દાન કરવાથી મોક્ષ અને સ્વર્ગમાં સુખ-શાંતિના દ્વાર ખુલતા નથી, પરંતુ સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી પૂર્વજોના આશીર્વાદ થકી જ આનંદ પ્રાપ્ત થઈ શકે છે. ." તમે તમારા જીવનમાં ક્યારેય તમારા પૂર્વજોનું તર્પણ કર્યું નથી."


Pitru Pakshaમાં થાળીમાં એકસાથે ક્યારેય ન પીરસો 3 રોટલી, જાણો ભોજનના 5 વાસ્તુના નિયમો


દેવરાજ ઈન્દ્રનો જવાબ સાંભળીને કર્ણે હાથ જોડીને કહ્યું કે તે નથી જાણતો કે તેના પૂર્વજો કોણ છે અને તેઓ કયા કુળના છે. આ કારણોસર તેઓ ક્યારેય તેમના વાસ્તવિક પૂર્વજોના નામે કંઈપણ દાન કરી શક્યા ન હતા. તેમના મૃત્યુના થોડા સમય પહેલાં તેમને રહસ્ય જાણવા મળ્યું કે તે પણ ખરેખર કુંતીનો પુત્ર હતો. કર્ણની વ્યથા સાંભળીને ભગવાન ઈન્દ્રએ કર્ણને 16 દિવસ માટે પૃથ્વી પર પાછો મોકલ્યો. પૃથ્વી પર પાછા આવ્યા પછી કર્ણએ પોતાની ભૂલ સુધારી અને 16 દિવસ સુધી પોતાના પૂર્વજોનું 'તર્પણ' અને 'શ્રાદ્ધ' કર્યું. કર્ણ પણ પોતાના પૂર્વજોના નામે અન્ન દાન કરતો હતો. પૌરાણિક કથા અનુસાર આ 16 દિવસો પિતૃપક્ષ તરીકે આખરે ઓળખાયા હતા.