Tuesday Remedies: સનાતન ધર્મમાં, અઠવાડિયાના સાત દિવસોને એક અથવા બીજા દેવતાની પૂજાના દિવસ તરીકે ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળવારને ભગવાન હનુમાન અને મંગળનો દિવસ માનવામાં આવે છે. મંગળને ઉગ્ર માનવામાં આવે છે, તેથી મંગળને શાંત કરવા માટે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ આવા ઘણા કામો છે, જેને આ દિવસે કરવાની મનાઈ કરવામાં આવી છે. આજે મંગળવાર છે. આ દિવસે તમારે ભૂલથી પણ અમુક કામ ન કરવા જોઈએ. નહીં તો ભગવાન હનુમાન ક્રોધિત થઈ શકે છે, જેની કિંમત તમારે તમારી સંપત્તિ અને પરિવાર ગુમાવીને ચૂકવવી પડી શકે છે. આજે અમે તમને એવા 5 કાર્યો વિશે જણાવીશુ જે તમારે ભૂલથી પણ મંગળવારે ન કરવા જોઈએ, નહીં તો તમારા જીવનમાં ઉથલપાથલ મચી શકે છે.


મંગળવારના ઉપાય:


કોસ્મેટિક્સ ખરીદવું અશુભ-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે કોઈ પણ મહિલા કે છોકરીએ મેકઅપની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વિવાહિત જીવનમાં તિરાડ આવવા લાગે છે અને ઘરેલું વિખવાદ વધવા લાગે છે, જેના કારણે પરિવાર તૂટતા સમય નથી લાગતો.


માંસ અને દારૂથી દૂર રહો-
મંગળવારને સનાતન ધર્મમાં સાત્વિક દિવસ તરીકે ગણવામાં આવે છે. તેથી, આ દિવસે વ્યક્તિએ માંસાહારી અને શરાબ-સિગારેટથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. જો તમે આવું ન કરો તો ભગવાન બજરંગ બલી તમારાથી નારાજ થઈ શકે છે. જેના કારણે તમારા બધા ચાલુ કામ બગડવા લાગે છે.


ઉધાર ન આપો-
ધાર્મિક વિદ્વાનોનું કહેવું છે કે મંગળવારે લોનની લેવડદેવડ ટાળવી જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે, જેના કારણે પરિવાર ધીમે ધીમે ગરીબ થવા લાગે છે.


કાળા કપડાં ન પહેરો-
મંગળવારે કાળા રંગના કપડાં પહેરવા વર્જિત માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી જીવનમાં દુ:ખનો સંચાર થાય છે અને પૈસાના સ્ત્રોત સુકાઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે નારંગી અને લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. તેનાથી મંગળ દોષની અસર ઓછી થાય છે. 


વાળ અને નખ કાપશો નહીં-
જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે માથાના વાળ અને નખ ભૂલથી પણ ન કાપવા જોઈએ. તેમજ શેવિંગ પણ ન કરવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા, તેમને તેમના જીવનમાં બુદ્ધિ અને પૈસાની ખોટ સહન કરવી પડે છે. મંગળવાર હનુમાનજીનો વાર છે અને એજ કારણ છેકે, આ દિવસે મોટાભાગના સલૂન પણ બંધ જ રાખવામાં આવે છે. એજ રીતે શનિવાર પણ હનુમાનજીનો વાર હોવાથી ઘણાં લોકો શનિવારે પણ આ નિયમોનું પાલન કરે છે. કહેવાય છેકે, આ નિયમોનો ભંગ કરનારથી હનુમાનજી નારાજ થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)