Sabarkantha News સાબરકાંઠા : નવરાત્રિના નોમના દિવસે પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીની પલ્લી યોજાઈ હતી. પટેલ વાસમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પલ્લી નીકળી હતી. બ્રહ્માણી માતાજીના મંદિરેથી દર નવરાત્રિની નોમે પલ્લી નીકળે છે. જય અંબે ના નાદ સાથે નીકળેલી પલ્લી નાની ભાગોળ ખાતે પૂર્ણ થઈ હતી. રાજ્ય ભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં પલ્લીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ માનતાનું હજ્જારો કિલો ઘી માતાજીને અર્પણ કર્યું હતું. પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો હોવાને નાતે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પલ્લી નિકળે છે, જેમાં શ્રદ્ધાળુઓ ઘી ચઢાવીને ભક્તો પલ્લીના દર્શનનો લાભ ઉઠાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બંને સગી બહેનો હોવાનુ માનવામાં આવે છે અને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે. ભક્તો અહી પલ્લીના દર્શન કરવા માટે ભીડ જમાવે છે અને પલ્લીના દર્શનનો લાભ લે છે. ભક્તો અહી ઘી ચઢાવે છે અને ઘીથી તરબોળ આ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવામાં આવે છે. 


રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહી, જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે


પૌરાણિક ઇતિહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિવર્ષ પલ્લી નિકળે છે. ગુજરાતમાં રૂપાલ અને પ્રાંતિજ એમ બે જ જગ્યા એ પલ્લી નિકળતી હોય છે. જોકે કોરોનાના બે વર્ષ બાદ પલ્લીનો મેળો ભરાયો હતો. પ્રાંતિજની બ્રહ્રમાણી માતાની પલ્લીની ભક્તોમાં ખુબ આકર્ષણ હોય છે અને ભક્તોમાં જાણે કે  પલ્લીનો અનેરો ઉત્સાહ પણ ભક્તોના ચહેરો પર દેખાતો હોય છે. 


મધ્યરાત્રી બાદ પટેલવાસમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરતી પલ્લીમાં ભક્તો ઘી લઇને આવતા હોય છે અને ભક્તો તે ઘીને પલ્લીમાં ચડાવતાં હોય છે ભક્તો માનતા અને બાધા આખડીના રૂપે પણ અહી ભક્તો ઘી ચઢાવતાં હોય છે. મેળાને લઇને મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રાતભર ઉત્સાહ મનાવતા હોય છે. પલ્લીના દર્શનાથે મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.


નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવુ જોવા મળશે