સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું-દર્શન વલ્લભ સ્વામીની બુદ્ધ ભ્રષ્ટ થઈ છે
![સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું-દર્શન વલ્લભ સ્વામીની બુદ્ધ ભ્રષ્ટ થઈ છે સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું-દર્શન વલ્લભ સ્વામીની બુદ્ધ ભ્રષ્ટ થઈ છે](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/09/04/480506-darshanvalllabhswamizee.png?itok=_mlLiO1i)
salangpur mural controversy : સનાતન ધર્મના સાધુઓ પર વધુ એક સ્વામિનારાયણ સંતનો પ્રહાર... વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ નિવેદન આપતા કહ્યુ- ચલમ પીને પોતાને સનાતની કહેનારા સ્વામિનારાયણ સંપ્રદાયને છંછેડવાનું બંધ કરો...
salangpur hanuman distortion : સનાતન ધર્મ પર વધુ એક સ્વામિનારાયણ સંતનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને છંછેડવાનું બંધ કરી દો. તમે ચલમ પી પોતાને સનાતની કહેતા હોય તો અમે તો તિલકવાળા છીએ. ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે.
સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રો વિવાદ મામલો હવે તૂલ પકડી રહ્યો છે. વડતાલના સાધુઓના વિવાદસ્પદ નિવેદનો એક પછી એક આવી રહ્યાં છે. ત્યારે વધુ એક સાધુનું વિવાદિત નિવેદન આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ અમારા સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ, એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.
ગાંધીનગરમાં હાકલપટ્ટીનો દોર ચાલુ : CMO માંથી પાંચને અલવિદા કરાયા, હવે કોનો વારો
રૂપાલાએ સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારાઓની સરખામણી રાવણના વંશજો સાથે કરી