Heart line in Hand: હસ્તરેખા વિજ્ઞાનમાં હાથની રેખાઓના માધ્યમથી વ્યક્તિના વ્યવહાર, પર્સનાલિટી અને ભવિષ્ય જાણવાનાં પ્રયાસ બતાવવામાં આવ્યા છે. હાથની રેખાઓનું અધ્યયન કરીને જાણી શકાય છે કે, વ્યક્તિને ક્યારે સફળતા મળશે. આજે અમે કેટલીક એવી રેખા વિશે વાત કરીશું, જે વ્યક્તિની કિસ્મત ચમકાવી દે છે. આ પ્રકારની રેખા ઘણાં લોકોના હાથમાં હોય છે. પરંતુ તેની શુભ સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ જેના પણ હાથની હ્દયરેખા શુભ સ્થિતિમાં હોય છે, તેઓ જીવનમાં ખૂબ જ સફળ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારે હ્દયરેખા ભાગ્ય બનાવે છે-
હાથમાં નાની આંગળી તરફથી જે રેખા શરૂ થાય છે અને હથેળીમાં નીચેની તરફ જાય છે તેને હ્દય રેખા કહેવામાં આવે છે. આ રેખા કોઈપણ ક્ષેત્રમાં જઈ શકે છે. આ રેખાની સ્થિતિનાં આધારે ખબર પડે છે કે, તે જાતકને લાભકર્તા છે કે નહીં.
- જો વ્યક્તિના હાથમાં હ્દય રેખા સ્પષ્ટ હોય અને કોઈપણ કટ વગર આગળ વધતી હોય તો તેને શુભ માનવામાં આવે છે. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે છે અને તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ રહે છે.
- જો આ હ્દય રેખા ગુરુ પર્વત સુધી પહોંચે અને ત્યાં ત્રિશુલ જેવો આકાર બનાવે છે, તો વ્યક્તિ સંસ્કારી, ગુણવાન અને નિષ્ઠાવાન હોય તેવુ દર્શાવે છે. તેમના પર ભગવાન ભોલેનાથની કૃપા વરસે છે. તેઓ પોતાના જીવનમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે. આવા લોકો પરેશાનીથી ગભરાતા નથી. આવા જાતકો ખૂબ ધનમ-સંપત્તિના માલિક બને છે.
- જો હ્દયની રેખા શનિ પર્વત સુધી પહોંચી જાય તો આવા લોકો દરેક સ્થિતિમાં પોતાનું લક્ષ્ય હાંસિલ કરે છે. કમાલની વાત તો એ છે કે, આવા લોકો ખૂબ જ સ્વાભિમાની હોય છે અને કોઈની મદદ વગર સફળ થવાનો પ્રયાસ કરે છે. આવા લોકોને પર્ફેક્શન પ્રિય હોય છે. પોતાના આવા ગુણોના કારણે તેઓ કરોડપતિ પણ બને છે.
- જો હ્દયની રેખા ગુરુ પર્વતની નજીક સુધી પહોંચે છે તો આવા લોકો અનુશાસનનાં પ્રિય હોય છે. સાથે જ તેઓ ખૂબ જ જિજ્ઞાસુ હોય છે. રિસર્ચને લગતા ક્ષેત્રમાં તેઓ સારી કારકિર્દી ઘડે છે. કિસ્મત તેમને ભરપૂર સાથ આપે છે.
- જો હ્દયની રેખા મસ્તિષ્ક રેખા પાસે આવીને મિક્સ થઈ જાય છે તો, આવા લોકો જીવનમાં કોઈની ચિંતા કર્યા વગર પોતાની મરજી મુજબ જીવન જીવવાનું પસંદ કરે છે. આવા લોકો માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને હાંસિલ કરીને જ ઝંપે છે. તેઓ મોટા સપના જોવાની હિંમત કરે છે અને તેને પૂરા પણ કરે છે.
- જો હ્દય રેખાની સાથે મસ્તિષ્ક અને જીવનની રેખા પણ પૂર્ણ રીતે સ્પષ્ટ અને લાંબી છે તો, આવા વ્યક્તિ ખૂબ જ લકી હોય છે. તેમને જીવનમાં તમામ સુખ, સુવિધા અને સન્માન મળે છે. તેમના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા અને જાણકારી પર આધારિત છે. ZEE 24 KALAK આ વાતની પુષ્ટી નથી કરતુ)