વનવાસનો સમય પસાર કરવા પાંડવો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના છાપી ગામમાં ગયા હતા. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન પાંડવોએ કૌરવોને હરાવવા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાયજ્ઞ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે બધા મહાભારતની કહાની વિશે જાણીએ છીએ. મહાભારત કાળ દરમિયાન કૌરવો અને પાંડવો વચ્ચે ચોસરની રમત રમાતી હતી. જેમાં પાંડવોને હારનો સામનો કરવો પડ્યો હતો. રમતમાં હાર્યા પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને એક વર્ષ માટે અજ્ઞાતવાસ મળ્યો હતો. વનવાસનો સમય પસાર કરવા પાંડવો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના છાપી ગામમાં ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કૌરવોને હરાવવા માટે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પાંડવોએ મહાયજ્ઞ કર્યો હતો. જેણે પાંડવની ધુની નામથી જાણીતી છે. આજે આ આર્ટિકલ મારફતે અમે તમને પાંડવોની ધુની વિશે જણાવવા જઈ રહ્યા છે.


શિવજીને પ્રસન્ન કરવા માટે કર્યો યજ્ઞ
જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ થોડાક સમય માટે છાપી ગામમાં રહ્યા હતા. તે દરમિયાન કૌરવો સામે યુદ્ધમાં જીત મેળવવા માટે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પાંડવોએ યજ્ઞ કર્યો હતો અને પોતાના હાથોથી શિવલિંગ, નંદી અને હવન કુંડ બનાવ્યા હતા. જેના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે. તેણે પાંડવોની ધુનીના નામથી જાણીતી છે.


હજારો વર્ષ જૂના અવશેષ
પાંડવોની ધુની અત્યારે પણ  પ્રજવલ્લિત છે. જાણવા મળે છે કે અહીં યજ્ઞ કર્યા બાદ પાંડવોએ કૌરવો પર જીત હાંસલ કરી હતી. યજ્ઞ માટે બે શિવલિંગ, હવન કુંડ, એક નંદી અને મૂર્તિઓના અવશેષ જામફળના ઝાડ નીચે છે. આ અવશેષ જોતા જ હજારો વર્ષ જુના લાગી શકે છે.


એમના એમ જ છે ધુની
તમને જણાવી દઈએ કે અહીં રહેતા સ્થાનિક લોકો પાંડવોની આ ધૂનીની જાળવણી કરે છે. ગામના લોકોના મતે આજે પણ પાંડવોની ધૂની એવી જ છે, જે તે સમયે હુઆ કરતી હતી. જો કે, સમયના કારણે ખંડિત ધૂનીના ભાગોને રિપેર કરવામાં આવ્યા છે.