નવી દિલ્હીઃ  Rahu Gochar 2023: જ્યોતિષ ગણના અનુસાર આ સમયે રાહુલ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તો વર્ષ 2023ના ઓક્ટોબર મહિનામાં વક્રી ચાલથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં વર્ષ 2023માં રાહુનો સંચાર મેષ અને મીન રાશિમાં થશે. તેવામાં આ રાશિઓ સિવાય કેટલીક રાશિના જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેટલીક રાશિને માનસિક તણાવ થઈ શકે છે. જાણો રાહુલનો ગોચર કઈ રાશિો માટે અશુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
રાહુ આ સમયેમાં મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોએ રાહુલના દુષ્પ્રભાવોનો સામનો કરવો પડી શકે છે. જો તમે રોકાણ કરવાનું મન બનાવી રહ્યાં હોવ તો થોડો વિચાર જરૂર કરો. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. આર્થિક, શારીરિક અને માનસિકની સાથે-સાથે પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


વૃષભ રાશિ
આ રાશિમાં રાહુલનો ગોચર 12માં ભાવમાં છે. તેવામાં આ રાશિના જાતકોએ માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આર્થિક સ્થિતિ નબળી થશે. ઘણીવાર થઈ રહેલા કામ બગડી શકે છે. તેવામાં તમારૂ મગજ થોડું અશાંત થઈ શકે છે. નાના-નાના કામ માટે વધુ ભાગદોડ કરવી પડી શકે છે. 


આ પણ વાંચોઃ હાથમાં આવી રેખા હોય તો જીવનમાં એકવાર જરૂર અમીર બને છે જાતક! લાગી જાય છે લોટરી


કન્યા રાશિ
કન્યા રાશિમાં રાહુનો ગોચર આઠમાં ભાવમાં છે. તો વક્રી ચાલ ચાલવાથી આ રાશિના જાતકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો, તો સારૂ રહેશે. પોતાની વાણીમાં થોડો સંયમ બનાવી રાખો. કારણ કે તમારી વાણીને કારણે મિત્રોની સાથે-સાથે પરિવારના સભ્યો અંતર બનાવી લેશે. 


મકર રાશિ
મકર રાશિના જાતકો માટે પણ રાહુનું રાશિ પરિવર્શન થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે. બિનજરૂરી ખર્ચ વધશે. બિઝનેસ અને નોકરીમાં કોઈ મુશ્કેલી આવી શકે છે. વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવશે. તમારી વાણી પર કાબુ રાખવો. 


(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube