Rahu Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ નક્ષત્રનું પરિવર્તન થાય તેને વિશેષ ગણવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે કેટલાક ગ્રહ રાશિ બદલે છે ત્યારે દરેક રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થાય છે. આવા ગ્રહમાં શનિ, રાહુ અને કેતુનો પણ સમાવેશ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવ્યા છે. રાહુ અને કેતુ દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 ઓક્ટોબરે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ વધશે સાથે જ કેટલીક રાશિઓ એવી છે જેમના પર રાહુની કૃપા થશે. તો ચાલો તમને જણાવીએ 30 ઓક્ટોબરથી રાહુ કઈ કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલશે.


આ પણ વાંચો:


રાહુના મીન રાશિમાં પ્રવેશથી આ રાશિઓના લોકોનું સ્વાસ્થ્ય થશે પ્રભાવિત, રહેવું સાવધાન


કેતુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોની માનસિક સ્થિતિ પડશે નબળી, વેપારમાં થશે લાભ


27 દિવસમાં આ રાશિના લોકોના હાથમાં આવશે અચાનક ધન, શુક્ર ગ્રહ રંકને પણ બનાવશે રાજા


મિથુન રાશિ


રાહુનું ગોચર મિથુન રાશિના લોકો માટે શુભ રહેવાનું છે. આ રાશિના લોકોને અધૂરી ઈચ્છા પૂરી થશે અને માન-સન્માનમાં વધારો થશે. આ સમય દરમિયાન તમારી સામાજિક સક્રિયતા વધશે. આ સમય દરમિયાન તમે નામ અને રૂપિયા બંને કમાશો. અટકેલું ધન પરત મળશે. રાહુનું ગોચર આ રાશિના લોકો માટે આર્થિક લાભ કરાવનાર સાબિત થશે. કાર્ય સ્થળ પર સકારાત્મક ફેરફાર જોવા મળશે જે તમને લાભ કરાવશે.


કર્ક રાશિ


કર્ક રાશિના લોકોને પણ રાહુ શુભ ફળ આપશે. જૂની સમસ્યાઓ દૂર થશે અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને કરેલી મહેનતનું ફળ પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે. સમાજમાં માન સન્માન વધશે.


કન્યા રાશિ


રાહુનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકોને શુભ ફળ આપશે જીવન સુખ સમૃદ્ધિથી છલોછલ રહેશે નોકરીમાં પ્રમોશન મળશે. અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. આ સમય દરમિયાન આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં લાભ થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)