જ્યોતિષ શાસ્ત્ર મુજબ પાપી ગ્રહ રાહુ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે હાલ રાહુ મીન રાશિમાં છે. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે. અત્રે જણાવવાનું કે સૂર્ય 14 માર્ચના રોજ બપોરે 12.46 વાગે મીન રાશિમાં પ્રવેશ કરશે. આવામાં સૂર્ય અને રાહુની યુતિ થઈ રહી છે. આ બંનેની યુતિ થવા પર કેટલાક રાશિવાળા માટે ભારે દિવસો રહે છે જ્યારે કેટલાક રાશિવાળા એવા પણ છે જેમને સિદ્ધિઓ સાંપડે છે. રાહુ અને સૂર્યની યુતિ કોના માટે લાભકારી સાબિત થશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક જ્યોતિષ મુજબ રાહુ એક રાશિમાં લગભગ 18 મહિના સુધી રહે છે. આવામાં બીજી રાશિમાં જવા માટે તેને 18 મહિના જેટલો સમય લાગે છે. આ રીતે રાહુ અને સૂર્યની યુતિ લગભગ 18 વર્ષ બાદ થઈ રહી છે. બંને ગ્રહો એકબીજા સાથે શત્રુતાનો ભાવ ધરાવે છે. પરંતુ આમ છતાં કેટલીક રાશિના જાતકો માટે આ યુતિ લાભકારી રહેશે. 


વૃષભ રાશિ
આ રાશિમાં બંને ગ્રહોની યુતિ એકાદશ ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને લાભ મળવાના સંકેત છે. અનેક જાતકોની ઈચ્છાઓ પ્રબળ થઈ શકે છે. જેને પૂરી કરવા માટે આકરી મહેનત પણ કરશો. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખુબ સફળતા મેળવવાના યોગ પણ છે. આ સાથે જ કોઈ મોટો પ્રોજેક્ટ પણ મળી શકે છે. તમે તમારા વિચારોથી બીજાના જીવન પર સારી અસર કરી શકો છો. કાર્યસ્થળની વાત કરીએ તો તમારું કામ જોઈને વરિષ્ઠ અધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. આવનારા સમયમાં તમારી પ્રગતિ, ઈન્ક્રિમેન્ટ કે પછી પગાર વધારો થઈ શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 


સિંહ રાશિ
આ રાશિ માટે રાહુ અને સૂર્યની યુતિ ષષ્ટમ ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકો માટે આ કોઈ વરદાનથી કમ નહીં હોય. તમે સરળતાથી નિર્ણય લઈ શકશો. તમારી બુદ્ધિમત્તાથી અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. ઉર્જાનું સ્તર અને આત્મવિશ્વાસ આકાશે આંબશે. બિઝનેસમાં અપાર સફળતા સાથે ધનલાભ થઈ શકે છે. ભાગીદારીમાં કરાયેલા ધંધામાં સફળતા મળી શકે છે. સંબંધોની વાત કરીએ તો લાંબા સમયથી સંબંધોમાં ચાલી રહેલી ખટપટ  દૂર થઈ શકે છે. કૌટુંબિક સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. તમે નવા સંબંધની શરૂઆત કરી શકો છો. 


મકર રાશિ
મકર રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ ત્રીજા ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકો માટે ઈમોશનલી હિલિંગનું કામ કરશે. જીવનમાં નવી શરૂઆત કરી શકો છો. તમારા દ્વારા  કરાયેલી મહેનતનું ફળ મળી શકે છે. જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ દસ્તક આપી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવારજનો સાથે સારો સમય પસાર થશે. વેપારમાં થોડું જોખમ લેશો. પરંતુ સફળતા અને ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો નવી નોકરીની તક મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube