Ramadan 2023: પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદનો તહેવાર મનાવવામાં આવશે. આ મહિનામાં લોકો ન માત્ર રોઝા રાખે છે પરંતુ સાચા મનથી અલ્લાહની ઈબાદત પણ કરે છે. ઉત્તર પ્રદેશના ડાસનામાં જામિયા સબીરુર રશાદ મદરેસાના ડાયરેક્ટર મૌલાના અશરફ કહે છે કે રમઝાન મહિનો બરકતોથી ભરપૂર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલાના અશરફે જણાવ્યું કે આ મહિનામાં અલ્લાહ દરેક ગુનાહો માફ કરે છે અને ફરિશ્તાઓને રોઝા રાખનારાઓની દુઆ કબૂલ કરી આમીન કહેવાનો આદેશ આપે છે. જે વ્યક્તિ રોઝા કરે છે અલ્લાહ તેના ભૂતકાળના તમામ પાપોને માફ કરી દે છે. તેમણે કહ્યું કે આ મહિનામાં મુસ્લિમ લોકોએ ગરીબ અને દલિત લોકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને દાન કરવુ જોઈએ.


જો કે જે લોકો રોઝા રાખે છે, તેમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. કેટલીકવાર નાની ભૂલથી રોઝા તૂટી જાય છે, તેથી આ બાબતોને ધ્યાનમાં રાખીને સેહરીથી લઈને ઈફ્તાર સુધીનો સમય પસાર કરવો જરૂરી છે.


આ પણ વાંચો
Rashifal: ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ સિંહ રાશિના લોકો માટે રહેશે ખાસ
Medical અને Engineeringમાં કારકિર્દી બનાવવા નથી માગતા? તો આ ઓફબીટ વિકલ્પ અજમાવો
SSC Selection: 10 અને 12 પાસને કેન્દ્ર સરકારમાં નોકરીની તક, જાણો કેવી રીતે કરવી અરજી


આ નાની નાની ભૂલોથી તૂટી શકે છે રોઝા 
મૌલાના અશરફ જણાવે છે કે રોઝા મકરૂહ એટલે કે તૂટી જવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમાં આંખો પણ મહત્વની બાબત છે. એટલે કે, રોઝા કર્યા પછી, જો રોઝા રાખનાર વ્યક્તિ ખોટી નજરથી કોઈને જુએ છે, તો રોઝા મકરૂહ થઈ શકે છે. આ સિવાય પીઠ પાછળ ખોટું બોલવાથી કે ખરાબ કામ કરવાથી પણ રોઝા તૂટી શકે છે.


જે લોકો જાણી જોઈને સેહરી પછી અથવા ઈફ્તાર પહેલા કંઈપણ ખાય તો પણ રોઝા તૂટી શકે છે. આ સાથે જો કોઈ રોઝા કરનારના દાંતમાં ખાવાનું અટવાઈ જાય અને તે તેને અંદર ગળી જાય તો તેનાથી પણ રોઝા મકરૂહ થઈ શકે છે. બીજી તરફ કોઈને અપશબ્દો બોલવાથી, ખરાબ શબ્દો કહેવાથી કે બીમારી વિના બિનજરૂરી ઈન્જેક્શન લેવાથી પણ રોઝા તૂટી શકે છે.


આ પણ વાંચો
પોલીસમાં નોકરી મેળવવા માંગતી યુવતીઓ માટે પરીક્ષાથી લઈ ભરતી સુધીની A to Z જાણકારી
માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો

રાશિફળ 24 માર્ચ 2023: જાણો કોણે રહેવું પડશે અત્યંત સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube