નવી દિલ્હીઃ Curse of Mahabharata: મહાભારત કાળ પોતાના યુદ્ધ માટે પ્રસિદ્ધ છે. પુરાણો અનુસાર કુરૂક્ષેત્રમાં લડવામાં આવેલું મહાભારતનું યુદ્ધ, ધરતી પર લડવામાં આવેલું સૌથી મોટું યુદ્ધ છે. આ યુગમાં પાંડવો અને કૌરવો વચ્ચે એક ભયંકર યુદ્ધ લડવામાં આવ્યું હતું. જેમાં ભીષણ નરસંહાર થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે એક એવો શ્રાપ છે જે મહાભારત કાળથી અત્યાર સુધી મહિલાઓ પર ચાલતો આવી રહ્યો છે. તેની પાછળ એક પૌરાણિક કથા હાજર છે. આવો જાણીએ શું છે તે પૌરાણિક કથા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પૌરાણિક કથા
કંપનીએ પોતાની તપસ્યાથી ઋષિ દુર્વાસાને પ્રસન્ન કર્યા હતા. તેના કારણે દુર્વાસાએ કુંતીને એક મંત્ર વરદાનના રૂપમાં આપ્યો હતો. ઋષિ દુર્વાસાએ કહ્યું હતું કે આ મંત્રથી જે-જે દેવતાઓનું આહ્વાન કરશે, તે દેવતાનો તમને પુત્ર પ્રાપ્ત થશે. રાજકુમારી કુંતીએ ભૂલવશ સૂર્ય દેવતાનું આહ્વાન કરી દીધુ. જેના ફળસ્વરૂપ કુંતીને સૂર્ય પુત્ર કર્ણ, વરદાન સ્વરૂપે મળી ગયો. પરંતુ સમાજના ડરથી તેમણે કર્ણને નદીમાં પ્રવાહિત કરી દીધો હતો. 


આ પણ વાંચોઃ આજથી સૂર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચર, આ પાંચ રાશિના જાતકોને કરિયરમાં મળશે લાભ


યુધિષ્ઠિરે સમસ્ત નારી જાતિને શું શ્રાપ આપ્યો
કુંતીએ આ વાત પાંડવોથી છુપાવી હતી કે કર્ણ તેનો ભાઈ છે. પરંતુ યુદ્ધ સમાપ્ત થયા બાદ માતા કુંડીએ પાંડવોની પાસે જઈને તેમને સત્ય જણાવ્યું હતું. પાંડવો આ વાત સાંભળીને દુખી થયા હતા. યુધિષ્ઠિર આ વાત પર એટલા ક્રોધિત થઈ ગયા કે તેમણે સમસ્ત નારિ જાતિને શ્રાપ આપી દીધો કે કોઈ નારી ઈચ્છીને પણ કોઈ વાત પોતાના મનમાં છુપાવીને રાખી શકશે નહીં. એમ માનવામાં આવે છે કે ત્યારથી મહિલાઓ કોઈ વાત છુપાવી શકતી નથી. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube