જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ એક નિશ્ચિત સમય પર શુભ અને અશુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ દેશ-દુનિયા અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે ગુરુ હજુ પણ મેષ રાશિમાં ભ્રમણ કરે છે અને શુક્રએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી આ બંને આમને સામને આવી ગયા છે તથા સમસપ્તક યોગનું નિર્માણ થયું છે. આ યોગને જ્યોતિષમાં ખુબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો છે. આથી આ યોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર કઈક ને કઈક તો પડશે. પરંતુ 3 રાશિઓએ એવી છે કે જેમને આ સમયે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
સમસપ્તક રાજયોગ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં જ ગુરુ ગ્રહ છે. આ સાથે જ સપ્તમ ભાવમાં શુક્ર આવી ગયો છે. આ સમય તમને તમારા કામ અને કારોબારમાં પ્રગતિ થશે. જો તમે સિંગલ હોવ તો તમારા પ્રેમ સંબંધ બનશે. જે લોકો અપરણીત હોય તેમને વિવાહના પ્રસ્તાવ પણ મળી શકે છે. આ સાથે જ ધનનો કારક શુક્ર હજુ સ્વરાશિમાં છે. તો આ સમયે ઉત્તમ ધનલાભ થશે. આ સાથે જ વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. 


મિથુન રાશિ
તમારા માટે સમસપ્તક રાજયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી પંચમ ભાવમાં હશે. આથી આ સમય મીડિયા, ફિલ્મ લાઈન, મોડલિંગ, અને કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને જબરદસ્ત ધનલાભ થઈ શકે છે. કામકાજમાં ભાગ્ય ચમકશે. આ સમય દરમિયાન સુખના સાધનોમાં વધારો થશે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. ફસાયેલું ધન પાછું મળશે. 


કર્ક રાશિ
તમારા માટે સમસપ્તક રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ચતુર્થ  ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આથી સુખના સાધનોમાં વધારો થશે. આ સમય દરમિયાન તમે કોઈ નવી પ્રોપર્ટી, ઘર કે વાહન ખરીદી શકો છો. માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. લગ્નજીવન સારું રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube