Shani Rashifal, sun Transit: 2024માં શનિ કુંભ રાશિમાં ગોચર કરવાના છે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં અન્ય ગ્રહોના પ્રવેશ કરવાથી શનિ દેવની સાથે ઘણા ગ્રહોની યુતિ બનવાની છે. જલ્દી ગ્રહોના રાજા કુંભ રાશિમાં ગોચર કરશે, જેનાથી સૂર્ય અને શનિની યુતિ બનશે. 13 ફેબ્રુઆરીના દિવસે સાંજના સમયે સૂર્ય દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય અને શનિની યુતિ બનવાથી કેટલાક જાતકો માટે આ સમય શુભ રહેવાનો છે. તેથી આવો જાણીએ શનિ-સૂર્યની યુતિ બનવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
શનિ અને સૂર્યની યુતિ મિથુન રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કરિયરમાં તમને પ્રમોશન મળવાની સાથે ઘણા જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તમારે સમય રહેતા પૂરો કરવો પડશે. સિંગલ લોકોની લાઇફમાં કોઈ સ્પેશિયલ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આ દરમિયાન સમાજમાં તમારૂ માન-સન્માન વધશે અને તમે આત્મવિશ્વાસ સાથે નવી જવાબદારી પૂર્ણ કરશો. 


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની યુતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોના લગ્ન જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે. બિઝનેસ કરી રહેલા લોકોને કોઈ સારો ઈન્વેસ્ટર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે અને ધન આગમનનો યોગ બની રહ્યો છે. યાત્રા કરવાની પણ સંભાવના છે. 


આ પણ વાંચોઃ મિત્ર ગ્રહ સૂર્ય અને મંગળની થઈ રહી છે યુતિ, આ જાતકોને મળશે ભાગ્યનો સાથ


મકર રાશિ
સૂર્ય અને શનિની યુતિ મકર રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમારૂ માન-સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકો માટે આ સમય સારો રહેશે. આ દરમિયાન તમારૂ મન અભ્યાસમાં લાગશે. પરંતુ તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube