Shani Dev: શનિ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિ સજા પણ કરે છે અને સૌભાગ્ય પણ લાવે છે. 11 ફેબ્રુઆરી 2024 ના રોજ શનિ પોતાની રાશિ કુંભમાં અસ્ત થયા છે. હવે 26 માર્ચ 2024 સુધી શનિ અસ્ત અવસ્થામાં રહેશે. શનિના અસ્ત થવાથી 12 રાશિના લોકોના જીવન પર શુભ અને અશુભ એમ બંને પ્રકારના પ્રભાવ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશિ ચક્રની બારમાંથી ચાર રાશિ એવી છે જેમને 26 માર્ચ સુધી હવે સંભાળીને રહેવાની જરૂર પડશે. કારણ કે અસ્ત શનિ આ ચાર રાશિના લોકો પર નકારાત્મક અસર કરશે. જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં એક પછી એક સમસ્યાઓ વધી શકે છે. આ ચાર રાશિને શનિ ઉદય થશે પછી જીવનમાં શાંતિ મળશે. 


આ પણ વાંચો: આ તારીખે લાગશે વર્ષ 2024 નું પહેલું સૂર્ય ગ્રહણ, 4 રાશિઓના જીવનમાં સર્જાશે ઊથલપાથલ


આ 4 રાશિના લોકો રહે સંભાળીને


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકોને આ સમય દરમિયાન પોતાનું અને પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ક્રોધ હાવી ન થાય તે વાતનું ધ્યાન રાખો. લોકો સાથે વ્યવહાર કરવામાં પણ સંભાળવું. તમારી આસપાસનું વાતાવરણ પણ નિરાશાજનક લાગશે. આ સમય દરમિયાન પોઝિટિવ રહેવા માટે પણ મુશ્કેલી થશે.


મિથુન રાશિ


મિથુન રાશિના લોકોએ પોતાની આવક અને ખર્ચ પર નજર રાખવી પડશે નહીં તો બજેટ બગડી જશે. ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે. કાર્ય સ્થળ પર સાવધાની રાખો. જરા પણ ગડબડ થઈ તો તમારી છબી ખરાબ થશે. વેપારમાં નુકસાન થઈ શકે છે. સ્ટ્રેસ લેવાથી બચો.


આ પણ વાંચો: વસંત પંચમીથી આ 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શનિ-સૂર્યની યુતિ કરાવશે બંપર લાભ


કન્યા રાશિ


કન્યા રાશિના લોકોના જીવનમાં અસ્ત શનિ ઉથલપાથલ સર્જી દેશે. આ રાશિના લોકોને સ્ટ્રેસ અને સમસ્યાનો સામનો કરવો પડશે. આ સમયે રોકાણ કરવાથી બચો. શનિ ઉદય થાય પછી જ રોકાણ કરવાનું રાખો. આ સમય દરમિયાન કામથી અસંતુષ્ટ જણાવશો.


ધન રાશિ


અસ્ત શનિ ધન રાશિના લોકોને પણ નુકસાન કરાવશે. આ રાશિના લોકોએ કોઈ પણ પ્રકારના વાદવિવાદથી બચવું. નાનકડી ભૂલ પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ પર કાબુ રાખો. આ સમયે કરજ લેવાની સ્થિતિ સર્જાઈ શકે છે.


આ પણ વાંચો: શનિના ઘરમાં શુક્રનો પ્રવેશ, આજથી આ રાશિના લોકોને ચારેકોરથી થશે લાભ જ લાભ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)