કર્મફળ દાતા શનિ સૌથી  ક્રુર ગ્રહોમાંથી એક ગણાય છે. શનિ જાતકોને તેમના કર્મો પ્રમાણે  ફળ આપે છે. નવ ગ્રહોમાં શનિ સૌથી મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક ગણાય છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડા સાતી અને ઢૈય્યાનો હક મળેલો છે. આવામાં દરેક જાતકે પોતાના જીવનમાં એકવાર તો શનિના પ્રકોપનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. જ્યાં તેણે પંચ મહાપુરુષ યોગમાં શશ રાજયોગનું પણ નિર્માણ કરેલું છે. આ રાશિમાં શનિ વર્ષ 2025ના માર્ચ સુધી રહેશે. જ્યોતિષાચાર્યો મુજબ શનિના મૂળ ત્રિકોણ રાશિમાં રહેવાથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થવા ઉપરાંત કૌટુંબિક કલેશથી છૂટકારો મળી શકે છે. કુંભ રાશિથી જતા જતા કોનું ભાગ્ય ચમકાવી જશે તે ખાસ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
આ રાશિના દસમા  ભાવમાં શનિ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. માર્ચ 2025 સુધી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ છે. આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં ખુબ સફળતા મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સારા સંબંધ રહેશે. વિદેશ જવાનો પ્રયત્ન કરતા હોવ તો જાતકોને સફળતા મળી શકે છે. કામના મમલે અનેક મુસાફરી કરવી પડી શકે છે. વેપારમાં તમારા દ્વારા કરાયેલા પ્રયત્નોથી તમને ખુબ લાભ થઈ શકે છે. બેરોજગારોને પણ જલદી નવી નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ શકે છે. 


સિંહ રાશિ
સિંહ  રાશિના જાતકો માટે પણ શનિનું કુંભ રાશિમાં રહેવું એ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના સાતમા ભાવમાં શનિ બિરાજમાન છે. આવામાં માર્ચ 2025 સુધી આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. વેપારમાં ખુબ નફો થવાની સાથે પ્રગતિના યોગ છે. તમારા દ્વારા વેપારમાં થઈ હેલી મહેનતનું ફળ અવશ્ય મળશે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. દાંપત્ય જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કોઈ બેંકમાં લોન માટે અરજી કરી હશે તો સફળતા મળી શકે છે. શનિ તમારી રાશિમાં ખુબ મજબૂત જોવા મળી રહ્યો છે આવામાં સિંહ રાશિવાળા પર શનિદેવ ખુબ મહેરબાન જોવા મળશે. 


તુલા રાશિ
આ રાશિમાં કેન્દ્ર અને ત્રિકોણ ભાવના સ્વામી થઈને પંચમ ભાવમાં બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકો માટે પણ શનિ ખુબ ખુશીઓ લાવી શકે છે. સંતાન પ્રાપ્તિના યોગ છે. જે દંપત્તિઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહ્યા હશે તેમને સફળતા મળી શકે છે. શનિની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. વિવાહના પણ યોગ છે. નોકરીયાતોની વાત કરીએ તો નોકરીમાં ફેરફાર આવી શકે છે. પદોન્નતિની સાથે સારો પગાર મળી શકે છે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. ભવિષ્ય માટે ધન બચાવી શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)