Shani Grah Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ન્યાયાધીશ અને કર્મનું ફળ આપનાર કહેવાય છે. કહેવાય છે કે વ્યક્તિના સારા અને ખરાબ કર્મનો હિસાબ શનિદેવ રાખે છે. શનિ ગ્રહ સૌથી ધીમે ગતિ કરનાર ગ્રહ પણ છે. એક રાશિમાં પ્રવેશ પછી શનિ ગ્રહને અઢી વર્ષ લાગે છે તેનું ચક્ર પૂરું કરતા. જ્યારે પણ શનિ ગ્રહનું એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન થાય છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ નો કુંભ રાશિમાં પ્રવેશ થયો છે. આ રાશિમાં શનિદેવ 2025 સુધી રહેશે. શનિ જે રાશિમાં પ્રવેશ કરે છે તે રાશિ માટે સાડાસાતીનું બીજું ચરણ શરૂ થાય છે. શનિની સાડાસતી દરમિયાન કેટલીક રાશિના લોકોને ખૂબ જ કષ્ટ સહન કરવા પડે છે. હવે 19 માર્ચ 2025 ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. ત્યાં સુધીનો આ સમય પાંચ રાશિના લોકો માટે ખૂબ જ કષ્ટદાયક રહેવાનો છે.


આ પણ વાંચો :


આ ખરાબ આદતના કારણે ઘરમાં આવે છે દરિદ્રતા અને અટકે છે પ્રગતિ


30 વર્ષ પછી સર્જાશે દુર્લભ સંયોગ, મહાશિવરાત્રિથી આ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય


કર્ક 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોને આ સમય દરમ્યાન ખુબ જ સાવધાન રહેવું પડશે. જો આ સમય દરમિયાન ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદેશ જવાની યોજના હોય તો તેમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. નોકરી કરતા લોકો ઉપર કામનું ભારણ વધશે અને એક પછી એક પડકારોનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓ આવશે.


કન્યા 


કન્યા રાશિના જાતકોને આ સમય દરમિયાન મિશ્રિત પરિણામ જોવા મળશે. કન્યા રાશિના વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવાની જરૂર છે. આ સમય દરમિયાન બેદરકારી રાખવાથી પેટ સંબંધિત ગંભીર સમસ્યા થઈ શકે છે. 


મનમાં હંમેશા રહેતો હોય ભય તો કરો કપૂરના આ ચાર અચૂક ઉપાય, ઘરમાં વધશે સુખ-શાંતિ


સૂર્ય ગ્રહણ પર ચમકશે આ 4 રાશિવાળોનો સિતારો! જ્યાં હાથ મુકશે મળશે રૂપિયા જ રૂપિયા


વૃશ્ચિક


વૃશ્ચિક રાશિના લોકો માટે પણ આ સમય દુઃખદાયક રહેશે. 2025 સુધીનો સમય વિવાદ અને આર્થિક સંકટ લાવી શકે છે. પારિવારિક સંપત્તિને લઈને પણ વિવાદ થઈ શકે છે. નોકરી બદલવાનું વિચારતા હોય તો સમજી વિચારીને નિર્ણય લેવો. વિદ્યાર્થીઓ માટે પણ સમય મુશ્કેલી રહેશે. વેપારમાં પણ ઉચ્ચાર ચડાવ જોવા મળશે.


કુંભ 


કુંભ રાશિના લોકો માટે સાડાસાતીનું બીજું ચરણ શરૂ થયું છે. આ સમય દરમિયાન સખત મહેનત કર્યા છતાં પણ અપેક્ષિત પરિણામ નહીં મળે. લગ્ન ભાવમાં શનિ નું ગોચર હોવાથી વૈવાહિક જીવન અને વ્યક્તિગત સંબંધો ઉપર પણ ખરાબ પ્રભાવ પડશે. આ સમય દરમિયાન ક્રોધ પર કાબુ રાખવો 


મીન 


મીન રાશિના લોકો માટે સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થયું છે. આ સમય દરમિયાન મીન રાશિના જાતકોના ખર્ચામાં વધારો થશે. આ સમય આર્થિક રીતે સમસ્યાઓ સર્જી શકે છે. જીવનસાથી ની અવગણના આ સમય દરમિયાન ભારે પડી શકે છે.