નવી દિલ્હીઃ આ વર્ષે જેઠ મહિનાની અમાસ તિથિ 19 મેએ છે. આ દિવસે ભગવાન સૂર્યના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. તેથી આ દિવસને શનિ જયંતીના રૂપમાં ઉજવવામાં આવશે. શનિ જયંતી પર શોભન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં શનિ જયંતી પર કેટલીક વિશેષ પૂજા કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે શનિ જયંતી પર ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગ તે દિવસે પૂજા અને દાન માટે ખુબ લાભદાયક હોય છે. આજે અમે તમને શનિ જયંતીના દિવસે એવા કેટલાક ઉપાય જણાવી રહ્યાં છીએ જે કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂરી કરશે. 


આ દિવસે ગરીબોને ભોજન કરાવો, તેનાથી શનિની પનોતી અને સાડાસાતી જેવી સમસ્યાથી છુટકારો મળી જશે. 


શનિ જયંતીના દિવસે લોખંડ અને કાળી વસ્તુઓનું દાન કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા કરે છે. 


આ પણ વાંચોઃ શનિ જયંતી પર બનશે 3 રાજયોગ, આ રાશિના જાતકોને મળશે સુખ, સમૃદ્ધિ અને સફળતા


શનિ જયંતિના દિવસે કાંસાના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક સિક્કો નાખો. આ પછી તેમાં તમારો પડછાયો જોઈને તેને શનિ મંદિરમાં દાન કરો. આવું કરવાથી શનિદેવની કૃપાથી તમને ક્યારેય ધનની કમી નહીં થાય.


જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોવ તો શનિ જયંતિના દિવસે આંકડા નંબરના છોડ પર લોખંડની 7 ખીલી લગાવો. આમ કરવાથી શનિદેવની કૃપાથી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે.


શનિ જયંતિના દિવસે જૂના ચંપલને ચાર રસ્તા પર લઈ જાઓ અને રાખો. આમ કરવાથી આપણને શનિના પ્રકોપથી મુક્તિ મળે છે અને આપણા જીવનમાં ખુશીઓ આવે છે.


શનિ જયંતીની સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને કાળા તલ અર્પિત કરો. આમ કરવાથી વ્યક્તિને શનિની સાડાસાતીમાંથી રાહત મળે છે.


શનિ જયંતિના દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ કરો. આ સાથે આ દિવસે વાંદરાઓને કેળા, ગોળ અને કાળા ચણા ખવડાવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube