ઝી બ્યૂરો, અમદાવાદ: શનિ જયંતીનો દિવસ શનિદેવ માટે સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે શનિદેવની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શનિજયંતી 10 જૂન 2021ના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની નિમિતે અમે તમને શનિજયંતીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે જણાવવા માગીએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કામ કરવાથી શનિદેવ થશે નાખુશ


  • પશુ- પક્ષીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.

  • બીજાનું ધન લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ

  • શનિદેવ ખોટુ અને અનૈતિક કામ કરવાવાળા લોકો પર નાખુશ થઈ શકે છે.  

  • પરિશ્રમ કરવાવાળા લોકોનું અપમાન ન કરવું જોઈએ.

  • નિર્ધન અને કમજોર લોકોને હેરાન ન કરવા જોઈએ.

  • મિત્ર અને સગાઓને દગો દેવો જોઈએ નહીં, બીજાનું સારૂ જોઈને ઈર્ષાન કરવી જોઈએ


લગ્ન થવામાં વારંવાર આવે છે કોઈકને કોઈક વિધ્ન? લાંબા સમયથી નથી થઈ રહ્યાં લગ્ન? તો કરો આ ઉપાય


આ કામ કરવાથી શનિદેન થશે ખુશ


  • શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ

  • બીજા લોકોની હમેંશા મદદ કરવી જોઈએ.

  • દુ:ખ અને ગંભીર રોગોથી પીડિત વ્યક્તિઓની સેવા કરવી જોઈએ.

  • જરૂરયાત વ્યક્તિઓને મદદ કરવી જોઈએ.

  • આ દિવસે તરસ્યા લોકોને પાણી પીવડાવવું જોઈએ.

  • નિર્ધન લોકોને અન્ન,ચોખા, છત્રી અને કાળી ચાદરનું દાન કરવું જોઈએ.

  • પ્રકૃતિની રક્ષા અને સેવા કરવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube