શનિ ગ્રહનું નામ પડતા જ લોકો ધ્રુજવા લાગે છે કારણ કે શનિદેવની સાડાસાતી અને ઢૈય્યા લોકોના સુખ ચેન છીનવી લે છે. પરંતુ શનિનો ડર રાખવાની જરૂર નથી કારણ કે શનિદેવ એ ડરનું નહીં પરંતુ ન્યાયનું નામ છે. શનિદેવ હંમેશા લોકોને ખરાબ ફળ નથી આપતા પરંતુ કર્મ પ્રમાણે ફળ આપે છે. તદઉપરાંત શનિના ગોચરથી કેટલીક રાશિઓ પર તેમની શુભ અસર પણ પડે છે. 6 એપ્રિલ 2024ના રોજ શનિ દેવ બપોરે 3.55 વાગે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ અગાઉ શનિએ 24 નવેમ્બર 2023 ના રોજ શતભિષા નક્ષત્રમાં ગોચર કર્યું હતું. શનિ પૂર્વભાદ્રપદ નક્ષત્રમં 3 ઓક્ટોબર 2024 સુધી રહેશે. ત્યારબાદ તેઓ શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. શનિના ભાદ્રપદ નક્ષત્રમાં ગોચરથી 12 રાશિઓ પર તેની અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓ માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખુબ જ લાભકારી રહેશે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
શનિનું પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર મેષ રાશિના જાતકો માટે ખુબ જ લાભકારી સાબિત થશે. મેષ રાશિવાળાને ધનલાભ થશે. જે આર્થિક મુશ્કેલીઓ હતી તે ખતમ થઈ જશે. એટલો ધનલાભ થશે કે તમે નવું મકાન, જમીન કે પછી ફ્લેટ પણ ખરીદી શકો છો. ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમને કોઈ સારી ડીલ મળી શકે છે. તમારી કરિયર ચમકી જશે. જે લોકો સરકારી નોકરીને તૈયારી કરી રહ્યા છે તેમને મહેનતથી સરકારી નોકરી પણ મળી શકે છે. અટકેલા કામ પાર પડશે મહેનત રંગ લાવશે. 


વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે પણ સારા દિવસોની શરૂઆત થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. ઘણી મહેનત છતાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો તમને થોડા દિવસમાં શુભ સમાચાર પણ મળી શકે છે. તમારા પદ અને આવકમાં ઝડપથી વધારો થશે. આ કારણે સમાજમાં તમારું માન સન્માન પણ વધશે. એક બાજુ જ્યાં કરિયરમાં પ્રગતિ થશે ત્યાં બીજી બાજુ લવલાઈફ પણ સારી રહેશે. પાર્ટનર સાથે જે પણ ગેરસમજ હશે તે દૂર થશે. જેમના લગ્ન નહતા થતા તેમના લગ્ન પણ નક્કી થઈ શકે છે. લગ્ન સંલગ્ન અડચણો દૂર થશે. 


કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે પણ શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખુબ જ લાભકારી રહેશે. તમારા મનમાં જે પણ પરેશાની હશે તેનું સમાધાન થશે. આ સાથે જ તમારા પર કરજ ચડેલું હતું તે આર્થિક સ્થિતિ સુધરતા ઉતરવા લાગશે. તમારી સુખ સુવિધાઓ વધશે. જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમને કરિયરમાં આગળ વધવા માટે ભરપૂર તક મળશે. જેનો ઉપયોગ કરીને તમે તમારી કરિયરમાં પ્રગતિ કરશો. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા પર શનિદેવની કૃપા વરસશે. ઈચ્છીત નોકરી શોધી રહ્યા હતા તો તમારો આ ઈન્તેજાર હવે પૂરો થવાનો છે અને શનિગોચરનો તમને લાભ મળશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. જે લોકોએ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હશે તેમને સારા ફળ મળી શકે છે. નોકરીમાં પણ અનેક તકો મળી શકે છે. જીવનસાથી સાથે સારો તાલમેળ રહેશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેતા મન પ્રસન્ન રહેશે. કોઈ સારા સમાચાર મળી  શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube