Shani Uday 2024: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર ગોચર કરે છે. બધા જ ગ્રહોમાં શનિ ક્રુર ગ્રહ માનવામાં આવે છે તેથી જ્યારે શનિનું રાશિ પરિવર્તન થાય છે કે તેનો ઉદય કે અસ્ત થાય છે તો તેનો પ્રભાવ પણ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં અઢી વર્ષે પ્રવેશ કરે છે પરંતુ આ દરમિયાન તેનો ઉદય અને અસ્ત ઘણી વખત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Shani Dev: શનિની ઢૈયા અને સાડાસાતીની સમસ્યાઓ દુર કરવા શનિવારે કરો આ કામ


શનિ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને 2025 સુધી આ રાશિમાં જ ગોચર કરશે. પરંતુ 18 માર્ચે સવારે 7.49 કલાકે શનિનો ઉદય થશે. શનિના ઉદય થવાથી કેટલીક રાશિના લોકોને લાભ થશે તો કેટલીક રાશિ માટે શનિનું ઉદય થવું સમસ્યાનું કારણ બનશે. કેટલીક રાશિ એવી છે જેમના પર શનિના ઉદય થવાથી નકારાત્મક પ્રભાવ જોવા મળશે.જેથી હોળી પહેલાં આ રાશિના જાતકો કેટલાક કામો પેન્ડીંગ રાખે એ જરૂરી છે. નહીં તો નુક્સાન જવાની સંભાવના વધારે છે. 


શનિના ઉદય થવાથી આ રાશિની વચ્ચે સમસ્યા


આ પણ વાંચો: 9 એપ્રિલે બુધ બદલશે નક્ષત્ર, ચમકી જાશે આ 3 રાશિની કિસ્મત, કારર્કિદી માટે સુવર્ણ સમય


વૃશ્ચિક રાશિ


આ રાશિના ચોથા ભાગમાં શનિનો ઉદય થશે. આ રાશિના લોકો માતા પિતાનું ખાસ ધ્યાન રાખે. પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. માનસિક ચિંતા વધી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. મહેનતનું ફળ મળશે. સાવધાન રહેવાની જરૂર છે. 


આ પણ વાંચો: હોળીના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે


કર્ક રાશિ


શનિ આ રાશિના આઠમા ભાવમાં ઉદય થશે. તેથી આ રાશિના લોકોને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. બીમારી અચાનક આવી શકે છે. આ સમય દરમિયાન સંભાળીને રહેવું. સમજી વિચારીને નિર્ણય લેવો. સફળતા મેળવવા માટે શોર્ટકટ પસંદ ન કરવા. ભાગ્યનો સાથ મળશે.


આ પણ વાંચો: મંગળની રાશિ મેષ રાશિમાં સર્જાશે સૂર્ય-ગુરુની યુતિ, આ 3 રાશિનો ગોલ્ડન પીરિયડ શરુ


મીન રાશિ


મીન રાશિના બારમાં ભાવમાં શનિમાં ઉદય થશે. આ રાશિના લોકો માટે સ્થિતિ મિશ્ર ફળદાઇ દિવસ રહેશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નાની મોટી બીમારીને પણ નજરઅંદાજ ન કરવી. ખર્ચ વધી શકે છે અને આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. બચત કરવામાં સફળતા નહીં મળે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)