Shanidev Blessings: જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ કર્મો મુજબ ફળ આપે છે અને અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. શનિ સૌથી ધીમી ચાલ ચાલનારો ગ્રહ છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને વર્ષ 2025 સુધી કુંભમાં જ રહેશે. જેથી કરીને 2025 સુધી મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિની સાડા સાતી રહેશે. આ જાતકો કષ્ટોનો સામનો કરશે. જ્યારે શનિના કુંભમાં રહેવાથી 3 રાશિવાળાને ખુબ લાભ થશે. આ જાતકોને ભાગ્યનો સાથ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
2025 સુધી શનિદેવ કુંભ રાશિમાં રહીને વૃષભ રાશિના જાતકો પર ખુબ કૃપા વરસાવશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે. કામ પૂરા થશે. નોકરી કરનારાઓને કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. જે તેમને ઉંચા પદ, આવકમાં વધારો અને સન્માન આપશે. તમારી આર્થિક સ્થિતિ સતત સુધરવા લાગશે. વેપાર કરનારાઓ માટે ખુબ શુભ સમય છે. તમને એવી અનેક તકો મળશે જેના લીધે તમારા નફામાં વધારો થશે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે શનિ ખુબ શુભ છે. આ જાતકો જો કોઈ ખોટું કે અનૈતિક કાર્ય ન કરે તો ખુબ ફાયદામાં રહેશે. તમને કરિયરમાં પ્રગતિ મળશે. ઈચ્છિત ટ્રાન્સફર મળશે. ધન કમાવવાની મોટી  તક મળશે. જીવનસાથીનો સહયોગ મળશે. તમે પણ તેની પરવા કરો. ભાગીદારીમાં બિઝનેસ કરનારાઓને ખુબ મોટો લાભ થશે. તમારી યોજનાઓ સફળ થશે. તમને લાભ મેળવવાની અગણિત તકો મળશે. આ સાથે જ જીવનમાં સુખ સૌભાગ્ય અને એશોઆરામ વધશે. 


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે વર્ષ 2025 સુધીનો સમય ખુબ જ શુભ છે. આ લોકોને કરિયરમાં પ્રગતિ અને આર્થિક સ્થિતિ સારી થશે. દિન પ્રતિદિન તમારી કમાણી વધશે. ઊંચુ પદ અને સન્માન મળશે. કહી શકાય કે તમને મનગમતું પદ મળી શકે છે. વેપાર કરનારાઓને લાભ થશે. મોટા ઓર્ડર મળશે. સંતાન તરફથી સુખ મળશે. જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. જમીન સંપત્તિ વધશે. જેના કારણે તમારા આ દિવસો સૌથી સારા જશે.  


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube