વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું એક અલગ મહત્વ ગણાવવામાં આવ્યું છે. ધન વૈભવના દાતા શુક્ર પોતાના નિશ્ચિત સમય પર ગોચર કરવા જઈ રહ્યા છે. અત્ર જણાવવાનું કે 12 જૂનના રોજ શુક્ર વૃષભ  રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્રના રાશિ પરિવર્તનનો પ્રભાવ તમામ રાશિવાળાના જીવન પર જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્ર ગ્રહ આવતી કાલે 12 જૂનના રોજ બુધવારે સાંજે 6.37 વાગે મિથુન રાશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન રાશિમાં જવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. આવામાં કેટલીક રાશિવાળાએ સંભાળીને પણ રહેવાની જરૂર છે. જાણો કઈ રાશિવાળાને વિશેષ લાભ મળશે. 


મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિવાળા માટે શુક્રનું ગોચર લાભકારી સિદ્ધ  થશે. અત્રે જણાવવાનું કે મે રાશિના ત્રીજા ભાવમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. આવામાં આ રાશિવાળાના લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. પરિવારનો સાથ મળશે. લવ લાઈફ પણ સારી  રહેશે. પાર્ટનર સાથે સારો સમય વિતાવવામાં સફળ થશે. ધન કમાવવામાં સફળ રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે અને ભવિષ્યમાં બચત માટે સફળ થઈ શકશો. 


મિથુન રાશિ
12 જૂનના રોજ શુક્ર આ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિવાળા માટે ખુબ જ અનુકૂળ સમય રહેશે. આ રાશિના શુક્ર દસમા ભાવના સ્વામી છે. આવામાં આ રાશિવાળાને નોકરી, બિઝનેસ વગેરેમાં ખુબ લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામથી અધિકારીઓ પ્રસન્ન થશે. મહેનતનું ફળ મળશે. તમારા કામથી લોકો પ્રસન્ન થશે એટલું જ નહીં તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સફળ થઈ શકો છો. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. પાર્ટનર સાથે સારો સમય વિતાવશો. બિઝનેસમાં ખુબ લાભ મળશે. 


ધનુ રાશિ
અત્રે જણાવવાનું કે આ રાશિના છઠ્ઠા અને અગિયારમાં ભાવના સ્વામી શુક્ર દેવ છે અને મિથુનમાં પ્રવેશ કર્યા બાદ આ રાશિના સાતમા ભાવમાં રહેશે. આવામાં આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. વેપારમાં પણ ખુબ લાભ થશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. જીવનસાથી સાથે ધન ભેગુ કરવામાં સફળ થશો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)