નવી દિલ્હીઃ Shukra-Shani Make Navpancham Yog: ગ્રહોના રાશિ પરિવર્તન દરમિયાન ઘણી યુતિ અને યોગોનું નિર્માણ થાય છે. આ રાજયોગ દરેક રાશિના જાતકોને શુભ અને અશુભ પરિણામ આપે છે. આ રાજયોગના શુભ થવા પર વ્યક્તિ કરિયરમાં નવી ઊંચાઈએ પહોંચે છે. સાથે વ્યક્તિને ધન-સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે અને શનિ દેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. આ દરમિયાન નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ દેવ અને શુક્ર ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. તેવામાં આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડશે. પરંતુ 3 રાશિના જાતકો પર તેનો ખાસ પ્રભાવ પડશે. એટલું જ નહીં આ દરમિયાન પ્રગતિનો યોગ બની રહ્યો છે. જાણો આ ત્રણ રાશિ વિશે...


આ પણ વાંચોઃ Surya Gochar: 1 વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, આ જાતકોનો થશે ભાગ્યોદય


આ ત્રણ રાશિના જાતકોને થશે નવપંચમ યોગથી લાભ
તુલા રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવપંચમ રાજયોગ તુલા રાશિ માટે વિશેષ લાભ આપશે. નોંધનીય છે કે આ રાશિના સ્વામી શુક્ર છે. તો તમારી ગોચર કુંડળીના પંચમ ભાવમાં શનિ રહેશે અને નવમાં ભાવમાં શુક્ર રહેશે. તેવામાં આ સમયે ભાગ્યની પ્રગતિ થવાની સંભાવના છે. આ યોગથી ધાર્મિક યોગ કરવો પડી શકે છે અને કાર્ય સિદ્ધિ થશે. તો શનિ મૂળ ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. તેવામાં નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળવાની શક્યતા છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. 


ધન રાશિ
આ યોગ ધન રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. આ યોગ લગ્ન જીવન, સંબંધી અને સહયોગીઓ માટે શુભ સાબિત થશે. આ દરમિયાન કોઈ પ્રોપર્ટી અને વાહન વગેરે ખરીદી શકો છો. આ દરમિયાન તમારા ઘરમાં  શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. નોકરી કરનાર લોકોને આ દરમિયાન નવી તક પ્રાપ્ત થશે. વિદેશ સાથે જોડાયેલ વેપાર કરતા લોકોને ધનલાભ થશે. 


આ પણ વાંચોઃ પુરૂષો ભૂલમાં પણ પોતાની પાકીટમાં ન રાખે આ 5 વસ્તુ, બાકી આવી શકે છે આર્થિક તંગી


કુંભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવપંચમ રાજયોગ કુંભ રાશિ માટે અનુકૂળ સાબિત થશે. બુદ્ધિ અને પ્રગતિથી યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. જૂના રોકાણથી પણ લાભ થવાની સંભાવના છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં ધન રોકાણ કરવું લાભકારી રહેશે. રોકાણ માટે સારો યોગ છે. ધન લાભ થશે. આ દરમિયાન તમે ઉર્જાવાન અનુભવ કરશો. તમને કાર્યક્ષેત્રમાં લાભ થશે. આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube