Meaning of Pigeon Coming Home: ઘણી વખત તમે જોયું હશે કે પક્ષીઓ કે કબૂતરો તમારા ઘરના પડખામાં કે અન્ય કોઈ ખૂણામાં પોતાનું ઘર બનાવે છે. ઘર ગંદુ થવાના ડરથી આપણે ઘણીવાર તેમના માળાઓને દૂર કરી દઈએ છીએ. પરંતુ તમે કદાચ નહિ જાણતા હોવ કે ઘરમાં આવા પક્ષીઓ આવવાથી અનેક શુભ અને અશુભ અસરો થાય છે. આજે અમે તમને ઘરમાં કબૂતરના આગમનના સંકેતો જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબૂતરનો માળો
માન્યતાઓ અનુસાર ઘરમાં કબૂતરનો માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. જેના કારણે પરિવારની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે. કબૂતરનો માળો બનાવવાના કારણે ઘરમાં અવારનવાર ગંદકી રહેતી હોય છે અને પરિવારના સભ્યોએ એક-એક પૈસા માટે તલપાપડ રહેવું પડે છે.


આ પણ વાંચો:
શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
રાશિફળ 11 એપ્રિલ: આ રાશિઓનું ભવિષ્ય ચમકશે, મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા
ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય


કબૂતરનું ગુટર ગુ કરવું 
ધાર્મિક વિદ્વાનો અનુસાર જો કબૂતર માળો બનાવવાને બદલે જો ક્યારેક-ક્યારેક ઘરમાં આવીને ગુટર ગુ કરે  તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ દ્વારા માતા લક્ષ્મી ઘરમાં આગમનનો સંકેત મોકલે છે. વહેલી સવારે કબૂતરનું ઘરે આવવું એ ધનની નિશાની છે.


કબૂતરને ખવડાવવું
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કબૂતરને અનાજ ખાતા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થવા જઈ રહી છે. તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે કબૂતરોને છત પર ખવડાવવાને બદલે બાલ્કની અથવા આંગણામાં ખોરાક અને પાણી રાખો. આમ કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
Budh Gochar:આ રાશિના લોકો માટે વરદાન જેવા છે હવે પછીના દિવસો, થશે ધનલાભ અને મળશે સુખ
શું તમને પણ થાય છે ખુબ પરસેવો? આ રીતે મેળવો પરસેવા અને એની ગંધની રાહત
નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી, રોમાંચક મેચમાં લખનઉની ટીમ જીતી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube