નવી દિલ્હીઃ આપણે ક્યારેક આપણા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે, પાણીના નળમાંથી પાણી ટપકે તો લક્ષ્મી જાય છે. એટલે કે તે ઘરમાં આર્થીક તૂટ પડે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે, જ્યાં નળમાંથી પાણી ટપક છે ત્યાં ખોટા ખર્ચા વધુ થાય છે. આમા પણ ઘરના રસોડાનો નળ ટપકતો હોય તો ખૂબ ખરાબ માનવામાં આવે છે. રસોડાંમાં અગ્નિનું સ્થાન હોય છે અને ત્યાં નળ ટપકવું એટલે કે પાણી અને અગ્નિનું એક સાથે રહેવું.  અગ્નિ અને પાણીએ એક સાથે રહે ત્યારે ખૂબ મુશ્કેલીઓ ઉભી થય છે. એટલે કે જો તમારા રસોડાનો નળ લિંકેજ હોય તો ઘરમં મુશ્કેલીઓ વધી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાય છે આર્થિક નુકસાન:
નળમાંથી પાણી ટરકવાના કારણે ઘણા બધા અન્ય નુકાસાનો ઘરમાં રહેતા સભ્યોને ભોગવવા પડે છે. જેમ કે પરિવારના સભ્યનું વારંવાર બીમાર પડવું. વ્યાપારમાં નુકસાન કે અથવા ઘરમાં કોઈ વલ્તુ તૂટી જવાથી કે ફૂટી જવાખી રૂપિયાનો વ્યય થાય છે.


નારાજ થાય છે વરૂણદેવ:
પાણી એ દરેક લોકોની જરૂરિયાત છે. પાણી દરેક લોકોએ સમજીને અને સાચવીને જ વાપરવું જોઈએ પાણી એ અ પ્રાપ્ય જથ્થો છે. તે આપણને કૃદરતે આપેલી અમૂલ્ય ભેટ છે તેનો વ્યય કરીયે તો કૃદરત આપણાથી નારાજ થાય છે. પાણીનો ખોટો ઉપયોગ કરવાથી વરૂણ દેવ નારાજ થાય છે જેથી દોષ ઉત્પન્ન થાય છે અને નકારાત્મ ઉર્જા ઉત્પન્ન થાય છે. જો તમારા ઘરમાથી કે રસોડામાંથી પાણી ટપકે છે તો તેને ઝડપથી સરખો કરાવી લેવો જોઈએ.