Surya Gochar 2023 March: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજા સૂર્ય દર મહિને તેમની રાશિ બદલી નાખે છે. સૂર્ય એક મહિના સુધી એક રાશિમાં રહે છે. જ્યારે પણ સૂર્ય ગૌચર કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ મહિને 15 માર્ચે સૂર્ય મીન રાશિમાં ગૌચર કરશે, જેને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યનું રાશિચક્ર બદલવું અને મીન રાશિમાં પ્રવેશ કરવાથી તમામ 12 રાશિઓ પર અસર થશે. આ સાથે મીન રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ પણ થશે, તેની અસર પણ તમામ રાશિના લોકો પર પડશે. ચાલો જાણીએ કે 15 માર્ચે જે સૂર્ય ગૌચર થવા જઈ રહ્યું છે તે કઈ રાશિ માટે શુભ સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્ય ગૌચર આ લોકોનું ભાગ્ય તેજસ્વી કરશે-


વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું ગૌચર ખૂબ જ શુભ રહેશે. આ લોકોની આવકમાં જોરદાર વધારો થશે. રોકાણથી લાભ થશે. કરિયરમાં ઉન્નતિ થશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળશે. જોખમી રોકાણ પણ સારું વળતર આપી શકે છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.


મિથુનઃ
સૂર્યનું ગૌચર પણ મિથુન રાશિના લોકોને સાનુકૂળ પરિણામ આપશે. નવી નોકરીની શોધ પૂર્ણ થશે. બેરોજગારોને રોજગાર મળશે. પ્રમોશન-ઉન્નતિ મળશે. કાર્યમાં સફળતા મળશે. વેપારમાં લાભ થશે, નફો વધશે.


ધનઃ
ધન રાશિ પર હંમેશાથી સૂર્ય દેવની કૃપા રહે છે. સૂર્ય તપસ્યા કરાવે છે અને આ રાશિના જાતકોને તપાવે છે. પણ જ્યારે પ્રસન્ન થઈ જાય ત્યારે ન્યાલ કરી દે છે. આ વખતે સૂર્ય ગોચના કારણે 15 માર્ચ બાદ આ રાશિના જાતકોના જીવનના સમીકરણો બદલાઈ શકે છે. પ્રગતિના દ્વાર ખુલે તેવી શક્યતા છે.


કર્કઃ
સૂર્યની રાશિમાં પરિવર્તન અને સૂર્ય અને ગુરુનો સંયોગ પણ કર્ક રાશિના લોકોને ઘણો લાભ આપશે. અટકેલા કામ પૂરા થશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે તમને સફળતા મળશે. કરિયર માટે સારો સમય છે. બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો. ધનલાભની પ્રબળ શક્યતાઓ છે.