Dreams in Sawan: શ્વાવણ મહિનામાં લોકો ભગવાન શિવને સમર્પિત થાય છે. આ પવિત્ર મહિનાને લઈને લોકો હંમેશા ઉત્સાહિત હોય છે. શ્વાવણ મહિનામાં ભક્તોની ભીડ શિવાલયોમાં રહેતી હોય છે. આ મહિના અંગે અલગ અલગ માન્યતાઓ પણ છે. શ્વાવણ મહિનામાં આપ ભોળાનાથ અથવા તેમનાથી જોડાયેલી વસ્તુઓના કોઈ સપના જુઓ છો તો તેનું વિશેષ મહત્વ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્ન આપણા જીવનનું અભિન્ન અંગ હોય છે. અર્ધજાગૃત સ્થિતિમાં આપણે જે કોઈ પણ સપના જોઈએ છીએ તેમાથી કેટલાક સપનાનો અર્થ થાય છે અને એ સપના આપણે સંકેત પણ આપે છે. સપના શુભ અને અશુભ બંને હોઈ શકે છે. એવુ કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવ સંબંધિત સપના જોવાથી વિશેષ કૃપા મળે છે. આવો જાણીએ શ્વાવણ મહિનામાં જોવામાં આવતા સપનાનો શું અર્થ થાય છે.


કાળુ શિવલિંગ દેખાવવું-
શ્વાવણ મહિનામાં સપનામાં કાળુ શિવલિંગ દેખાવવુ શિવભક્તિનું વિશેષ ફળ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સપનાને જોવુ એટલે સ્વયં ભોળાનાથાને જોવુ બરાબર છે. ભક્તથી પ્રસન્ન થઈને ભગવાન શિવ સપનામાં આવે છે. અને આશીર્વાદ આપે છે. આવુ સપનું આવવાનો અર્થ એ છે કે જલ્દી શુભ સમાચાર મળી શકે છે. જો કોઈ યુવતી સપનામાં શિવલિંગ જોવે છે તો ઈચ્છિત અને યોગ્ય વર મળશે.


ભગવાન શિવનું ડમરુ દેખાવવું-
વાસ્તુમાં ડમરૂને સકારાત્મક્તાનું પ્રતીક માનવામાં આવે છે. ડમરુનું સપનુ આવવાને શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું ડમરુ દેખાવવાનો અર્થ શિવ તત્વની પ્રાપ્તી છે. એનો અર્થ એ છે કે જલ્દી જ આપના જીવનમાં સકારાત્મક્તાનો સંચાર થશે. આપના કામમાં આવતી અડચણો દૂર થશે.


સપનામાં ત્રિશુળ દેખાવવું-
શ્રાવણ મહિનામાં ભગવાન શિવના ત્રિશુળના દર્શન થવા શુભ માનવામાં આવે છે. ત્રિશુળના ત્રણ ગુણ હોય છે. રજ, તમ અને સતા. જો સપનામાં ભગવાન શિવનું ત્રિશુળ દેખાય છે તો સમજી લો કે આપની પર ભગવાન શિવની કૃપા થવાની છે. આ સપનુ એ વાતનો સંકેત આપે છે કે આપની તકલીફો દૂર થવાની છે. સાથે જ આપના બધા જ કામમાં લાભ થવાનો છે.


નાગ દેવતા દેખાવવા-
શ્વાવણ મહિનામાં સપનામાં નાગ દેવતા દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. આ સપના અંગે કહેવાય છે કે જે કોઈ પણ આ જોવે છે તેને ધન પ્રાપ્તી થાય છે. વેપારમાં વૃદ્ધી થાય છે અને નિર્દોષોની કૃપા રહે છે.


સપનામાં નંદીના દર્શન-
શ્વાવણ મહિનામાં ભગવાન શિવનું વાહક નંદીની દ્રષ્ટી પણ શુભ માનવામાં આવે છે. જો આપના સપનામાં નંદી દેખાય છે તો સમજી લો કે આપની મનોકામના પૂર્ણ થશે. આપના કામમાં આવતી બધી તકલીફ દૂર થશે.