Chanakya Niti: આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રની રચના કરી. તેમના દ્વારા જણાવવામાં આવેલી નીતિઓ જીવનમાં ઉતારવાથી આપણી ઘણી મુશ્કેલી દૂર થઈ શકે છે અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ચાણક્ય નીતિ, જીવન, સફળતા અને નીતિશાસ્ત્ર પર 700 શ્લોકોનો એક પ્રાચીન નીતિ ગ્રંથ છે. તેમાં જીવનના દરેક પાસા પર માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં સંકટ કાળમાંથી બહાર નિકળવાની રીત સામેલ છે. ચાણક્ય અનુસાર સંકટ કાળ દરમિયાન મનને શાંતિ રાખવી અને ધૈર્ય બનાવી રાખવું સૌથી વધુ જરૂરી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી 10 મહત્વપૂર્ણ વાતો જે મુશ્કેલીમાં આવશે કામ


સકારાત્મકતા બનાવી રાખો
ચાણક્ય નીતિ અનુસાર કેટલો પણ ખરાબ સમય કેમ ન આવે નકારાત્મક વિચારોને મન પર હાવી ન થવા દો, હંમેશા સકારાત્મક વિચાર રાખો અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આશાવાદી બનો. 


ધૈર્ય રાખો
સંકટના સમયમાં ધૈર્ય અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વિપત્તિ આવવા પર ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને પરિસ્થિતિનો સામનો ધૈર્યપૂર્વક કરો.


વિવેકનો પ્રયોગ કરો
ભાવનાઓમાં વહી ક્યારેય નિર્ણય ન લો. હંમેશા તમારી બુદ્ધિ અને વિવેકનો પ્રયોગ કરતા સારી રીતે સમજી વિચારી નિર્ણય કરો.


આ પણ વાંચોઃ 12 વર્ષ બાદ કુબેર યોગથી આ જાતકોને લાગશે લોટરી, 2025 સુધી કરશે જલસા


પોતાના પાસે સહાયતા માંગો
જો જીવનમાં જરૂરી હોય તો પરિવાર, મિત્રો પાસે સહાયતા માંગવામાં સંકોચ ન કરવો જોઈએ. ખરાબ સમય પોતાના જ કામ આવે છે.


સાચા કર્મ કરતા રહો
હાર ન માનો અને સારા કર્મ કરતા રહો. કર્મ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને ધીમે-ધીમે તમે સંકટમાંથી બહાર આવી જશો.


સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આચાર્ય અનુસાર સંપત્તિ, મિત્રો, પત્ની અને રાજ્ય બધુ બીજીવાર હાસિલ કરી શકાય છે, પરંતુ શરીર બીજીવાર હાસિલ કરી શકાય નહીં. તેથી સ્વસ્થ રહેવા માટે સંતુલિત ભોજન કરો, પૂરતી ઊંઘ લો અને નિયમિત રૂપથી વ્યાયામ કરો.


આધ્યાત્મિકતાનો સહારો લો
ધ્યાન, યોગ કે પ્રાર્થના જેવી આધ્યાત્મિક ગતિવિધિઓ તમને મુશ્કેલ સમયમાં માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. તેથી તમારા જીવનમાં આધ્યાત્મને સ્થાન આપો.


સમયનું મહત્વ
ચાણક્ય કહે છે કે સંકટના સમયમાં સમયનું મહત્વ ખુબ વધી જાય છે. તેથી ખરાબ સમયમાં સમયનો સાચો ઉપયોગ કરી પરિસ્થિતિને સુધારી શકાય છે.


સામર્થ્યનો પ્રયોગ
તમારા સામર્થ્યનો સાચો ઉપયોગ કરી સંકટ કાળમાં પોતાની સ્થિતિમાં સુધાર કરી શકાય છે. ચાણક્ય કહે છે કે તમારા દોષોને ઓળખો અને તમારી વિશેષતાઓનો યોગ્ય ઉપયોગ કરો.


સાહસ અને સંતુલન
સંકટના સમયમાં વ્યક્તિએ સાહસી હોવું જોઈએ. જો તે સમયે વ્યક્તિ હિંમત હારી ગયો તો તે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નિકળી શકતો નથી.