Garuda Purana Dhanprapti Mantra: હિન્દુ ધર્મમાં 18 પુરાણોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાંથી એક ગરુડ પુરાણ પણ છે. તેમાં વ્યક્તિના જીવનની સફળતા સુખ અને આર્થિક સમૃદ્ધિના રહસ્યો છુપાયેલા છે. કહેવાય છે કે ગરુડ પુરાણનો પાઠ કરવાથી વ્યક્તિને જીવનના ગુઢ રહસ્ય વિશે જાણકારી મળે છે. ગરુડ પુરાણમાં જન્મથી લઈને મૃત્યુ સુધી અને મૃત્યુ બાદની વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રવિવારે આ 5 વસ્તુનું દાન કરવાથી વધે છે સમાજમાં માન સન્માન, મળશે રોગથી મુક્તિ


જો હાથમાંથી પડી જાય મીઠા સહિતની આ 5 વસ્તુઓ તો તેને માનવામાં આવે છે અશુભ


સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી આ 3 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે ધન હાનિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગરુડ પુરાણમાં જીવનને સરળ રીતે જીવવાનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. પરંતુ ઘણી વખત ગરુડ પુરાણ વાંચવાથી લોકો વંચિત રહી જાય છે. ગરુડ પુરાણનો પાઠ ઘરમાં ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. 13 દિવસ સુધી આ પાઠ કરવામાં આવે છે. જોકે જો તમે ગરુડ પુરાણ વાંચી ન શકો તો તેમાં કેટલાક એવા મંત્ર પણ આપેલા છે જેનો નિયમિત નિયમપૂર્વક જાપ કરવાથી રોગ મટે છે અને આર્થિક તંગી થી છુટકારો થાય છે. 


ગરીબી દૂર કરવાનો મંત્ર


જો તમે ધન સંબંધિત સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય અને તેમાંથી મુક્ત થવું હોય તો ગરુડ પુરાણમાં તેના માટે મંત્ર દર્શાવવામાં આવ્યો છે. તેનો જાપ કરવાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે અને જીવન ધન ધાન્યથી ભરેલું રહે છે.


મંત્ર - જ્યોતિષશાસ્ત્ર અનુસાર ॐ જૂં સ: મંત્રનો જાપ કરવાથી લાભ તુરંત થાય છે. સાથે જ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સતત છ મહિના સુધી આ પાઠ કરે છે તો તેને ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે.