ગ્રહોના ગોચર અને રાશિ પરિવર્તનથી કેટલીક એવી યુતિઓ બને છે જે તમામ રાશિના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. જુલાઈ 2024માં ગ્રહોના ગોચરથી એવી એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે તે અભૂતપૂર્વ છે. જેમાંથી કેટલીક લાભકારી છે તો કેટલીક વિનાશકારી પણ છે. અહીં એક લાભકારી યોગ વિશે જણાવીશું જે આ જુલાઈ મહિનામાં 7 તારીખે બનવા જઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ યોગનો સમયગાળો નાનો છે પરંતુ તેની અસર દુરંદર્શી અને સ્થાયી સિદ્ધ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે 7 જુલાઈના રોજ કર્ક રાશિમાં જ્યાં શુક્રની યુતિ બુધ સાથે થશે, ત્યાં ચંદ્રમાના ગોચરથી આ રાશિમાં ખુબ જ ફળદાયી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે કર્ક એ ચંદ્રમાની સ્વરાશિ છે. આ યોગનો પ્રભાવ આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓ તેનાથી ખુબ ફાયદો મેળવશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....


વૃષભ રાશિ
કર્ક રાશિમાં બનનારા ત્રિગ્રહી યોગથી વૃષભ રાશિના જાતકોને સારો એવો લાભ થઈ શકે છે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. તમારા વિવેકપૂર્ણ પગલાંથી કાર્યોના પરિણામો તમારા હકમાં રહેશે. નોકરીયાતોની આવકમાં વધારો થશે. વેપારમાં પ્રગતિ થશે. ડેરી, કાગળ, મોટર વ્યવસાય અને ખાણીપીણીના ધંધામાં લાભ થશે.  કરિયરના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે. કોલેજ કે સંસ્થાની પ્રતિયોગિતામાં જીત મળશે. કૌટુંબિક જીવનમાં સામંજસ્ય અને સહયોગ જળવાશે. લવ લાઈફ રોમાંચક રહી શકે છે. સ્વાસ્થ્ય તમને લાભ આપશે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે કર્ક રાશિમાં બનનારા ત્રિગ્રહી યોગથી ખુબ સકારાત્મક ફાયદો થઈ શકે છે. તમારા અટવાયેલા અને અધૂરા કાર્યો પૂરા થશે. વેપાર યાત્રા થઈ શકે છે. જે ખુબ જ લાભકારી અને નિર્ણાયક સાબિત થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં ઉત્પાદનના ખર્ચામાં ઘટાડો થશે જ્યારે નફો વધશે. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપા રહેશે. લાભની તકો સર્જાશે. ઘરેલુ કામકાજમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. લગ્ન જીવન મધુર અને સારું રહેશે. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના જીવનમાં ત્રિગ્રહી યોગની અસરથી લાભના અનેક યોગ બની રહ્યા છે. તમારા કામમાં આવતી બાધાઓ સમાપ્ત થઈ જશે. વેપારમાં સારી એવી પ્રગતિ થશે. મહિલા ઉદ્યોગ સાહસિકને વિશેષ લાભ થવાની શક્યતા છે. દવા અને કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને સારો એવો લાભ થઈ શકે છે. બેરોજગારોને નોકરીની નવી તકો મળી શકે છે. આવકમાં વધારો થવાના યોગ છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બહાર જવાની તકો મળી શકે છે. અપરણીતોના લગ્ન થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનરનો પૂરો સહયોગ મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)