Viprit Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ કે નક્ષત્ર બદલે છે ત્યારે તેની અસર આપણા જીવન પર સૌથી વધુ પડે છે. વ્યક્તિના જન્મથી જ તેના જીવન પર ગ્રહોનો પ્રભાવ પડવા લાગે છે. તેવામાં કેટલીક વિશેષ સ્થિતિમાં સર્જાતા યોગ વ્યક્તિનું જીવન બદલી શકે છે. આવા જ એક યોગનું નિર્માણ થયું છે જેના કારણે 4 રાશિના લોકોને આકસ્મિક ધન લાભ અને કારર્કિદીમાં સફળતા પ્રાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 50 વર્ષ બાદ વિપરિત રાજયોગનું નિર્માણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


13 દિવસ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે મંગળ, થશે મોટી ઊથલપાથલ, જાણો તમારું રાશિફળ


Guru Chandal Yog 2023: બસ 3 દિવસ... 21 જૂનથી બદલી જાશે આ રાશિઓના દિવસ, ધનના થશે ઢગલા


Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર


શાસ્ત્ર અનુસાર અત્યંત શુભ યોગોમાંથી વિપરીત રાજયોગ પણ એક છે. આ યોગ બધા જ નકારાત્મક પ્રભાવના ગ્રહ એકસાથે આવે ત્યારે સર્જાય છે. જો કોઈ જાતકની કુંડળીમાં 6, 8 કે 12માં ભાવના સ્વામી અન્ય બે ભાવમાંથી કોઈ સ્થાન પર હોય ત્યારે વિપરીત રાજયોગ બને છે. 
 


આ રાશિઓને થશે ફાયદો



મેષ રાશિ - આ રાશિના જાતકોને વિપરીત રાજયોગથી ફાયદો થશે. આ રાશિના 12 માં ભાવમાં સૂર્ય, ગુરુ અને બુધની યુતિ સર્જાઈ છે. આ સમય દરમિયાન આકસ્મિક ધન લાભ થશે. વિદ્યાર્થીઓને શુભ પરિણામ પ્રાપ્ત થશે.



સિંહ રાશિ - આ રાશિના આઠમા ભાવમાં ગુરુ અને બુધ બિરાજમાન છે અને ત્રીજા ભાવમાં શુક્ર છે. આ યોગ આવકમાં વધારો કરશે. પૈતૃક સંપત્તિથી લાભ મળશે. કારર્કિદીમાં સારી તકો પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા થઈ શકે છે. 



તુલા રાશિ - વિપરીત રાજયોગ આ રાશિના જાતકો માટે વરદાન છે. આ રાશિના ત્રીજા ભાવમાં બૃહસ્પતિ છે. તેના કારણે વેપારમાં ફાયદો થશે. નોકરી કરતાં લોકોને બઢતી મળી શકે છે. નોકરીમાં સારી તકો પ્રાપ્ત થશે. રોકાણથી લાભ થશે.



મકર રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકો માટે પણ વિપરીત રાજયોગ શુભ સાબિત થશે. આ રાશિના લોકોની કુંડળીના ત્રીજા ભાવમાં ગુરુ, બુધ અને સૂર્ય બિરાજમાન છે. આ રાશિના લોકોના જીવનમાં વિપરીત રાજયોગ ઉત્સાહ અને ખુશીઓ ભરી દેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)