Benefits of Wearing Silver Ring:  વીંટી પહેરવી સામાન્ય વાત છે, પરંતુ વિવિધ ધાતુઓ અને રત્નો વગેરેથી જડેલી આ વીંટીઓ આપણા જીવનને પ્રભાવિત કરે છે. જ્યોતિષમાં નવ ગ્રહો સાથે આ ધાતુઓનો અને રત્નોનો સંબંધ જણાવવામાં આવ્યો છે. ગ્રહોને સંતુલિત કરવા, ગ્રહોથી શુભ પરિણામ મેળવવા માટે આ રત્નો અને ધાતુઓને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આ રત્નો અને વીંટી પહેરવા જોઈએ, નહીં તો તેની નકારાત્મક અસરોનો સામનો પણ કરવો પડી શકે છે. ચાંદીની વીંટી પણ એક એવી મહત્વની વસ્તુ છે જેને પહેરવાના ઘણા ફાયદા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત છે ચાંદીની વીંટી
સોના-ચાંદીના ઘરેણાં સુંદરતામાં વધારો કરે છે. તેની સાથે કુંડળીના ગ્રહો અને નક્ષત્રો પર પણ તેની અસર પડે છે. ઉદાહરણ તરીકે, સોનું ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. જ્યારે ચાંદી શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની આંખોમાંથી ચાંદીની ઉત્પત્તિ થાય છે, તેથી જ્યાં ચાંદી છે ત્યાં ધન અને સમૃદ્ધિની કમી નથી. બીજી તરફ, કેટલીક રાશિઓ માટે, ચાંદીના આભૂષણો પહેરવા, નિયમો અનુસાર નાની આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી ઘણા ફાયદા થાય છે.



આ પણ વાંચો:
કૌભાંડોને ખોલનારા ખુદ આરોપી : યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ
સોના-હીરાની જેમ ચમકશે ગુજરાતના ધર્મસ્થાનો, ગુજરાતમાં આજથી મહાસફાઈ અભિયાન
કોરોનાના કેસમાં ફુલ સ્પીડમાં વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ નવા કેસ, 42 દર્દીના મોત


આ આંગળીમાં પહેરો ચાંદીની વીંટી 
ચાંદીની વીંટી અથવા છલ્લા સૌથી નાની આંગળીમાં પહેરવી જોઈએ. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ માટે ચાંદીની વીંટી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃષભ અને તુલા રાશિના લોકો પણ ચાંદીની વીંટી પહેરી શકે છે. બીજી તરફ મેષ, સિંહ અને ધનુ રાશિના લોકોએ ભૂલથી પણ ચાંદીની વીંટી ન પહેરવી જોઈએ.


ચાંદીની વીંટી પહેરવાના ફાયદા
શુક્ર અને ચંદ્ર જમણા હાથની કનિષ્ઠ આંગળીમાં એટલે કે સૌથી નાની આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી શુભ ફળ આપે છે. મગજ શાંત રહે છે. ગુસ્સા પર કાબૂ રહે છે. ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે. તમે ચાંદીની વીંટી નહીં તો અભિમંત્રિત કરીને ચાંદીની ચેન પણ પહેરી શકો છો. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને અઢળક સંપત્તિ આપશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube