મુંબઈઃ અનુભવી ઓલરાઉન્ડર અભિષેક નાયર આ રણજી ટ્રોફી ક્રિકેટ સિઝનમાં પર્દાપણ કરનારી પુડુચેરી ટીમ માટે રમશે. તે મુંબઈ માટે 99 પ્રથમ શ્રેણીની મેચ રમ્યો છે. મુંબઈમાંથી એનઓસી મળ્યા બાદ તે પુડુચેરી માટે રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયરે તેની પુષ્ટિ કરતા કહ્યું કે, મારી પુડુચેરી ટીમ સાથે વાત ચાલી રહી હતી. શનિવારે મેં મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી એનઓસી પત્ર લીદો અને આજે સવારે બીસીસીઆઈને સોંપી દીધો છે. 


34 વર્ષિય નાયરે 99 પ્રથમ શ્રેણીના મેચમાં 5627 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 259 રન રહ્યો છે. તેના નામે 13 સદી અને 31 અડધીસદી છે. આ સાથે તેણે 164 વિકેટ પણ ઝડપી છે. નાયરે પહેલા પુડુચેરીને કોચિંગ આપવાની રજૂઆત ઠુકરાવી દીધી હતી.