અમદાવાદઃ વનડે વિશ્વકપ 2023માં કોઈ ટીમે પોતાની રમતથી લોકોના સૌથી વધુ દિલ જીત્યા તે અફઘાનિસ્તાનની ટીમ છે. સેમીફાઈનલમાં ભલે અફઘાનિસ્તાનની ટીમ જગ્યા બનાવવામાં સફળ ન રહીં, પરંતુ તેણે ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને પરાજય આપ્યો હતો. તો હવે અફઘાન ટીમના વિકેટકીપર બેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે પોતાના એક કામ દ્વારા ભારતીયોના દિલ ફરી જીત્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પહેલા જરૂરીયાતમંદ લોકોની મદદ
અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે દિવાળીની એક રાત પહેલા અમદાવાદમાં ઘણા જરૂરીયાતમંદોને રૂપિયા આપી તેની મદદ કરી હતી. ગુરબાઝનો રૂપિયા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં એક ફુટપાથ પર સૂઈ રહેલા કેટલાક લોકો પાસે જઈને ગુરબાઝે તેને રૂપિયા આપ્યા હતા, જેનાથી તે લોકો દિવાળી ઉજવી શકે. ગુરબાઝના આ કાર્યની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનની ટીમે વિશ્વકપમાં પોતાનો અંતિમ મુકાબલો આફ્રિકા વિરુદ્ધ અમદાવાદમાં રમ્યો હતો. જેમાં તેણે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર સચિન-સેહવાગ પછી ત્રીજો ભારતીય ઓપનર બન્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube