કોલકત્તાઃ રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માંકડિંગ રનઆઉટ કર્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનને ભલે કેટલાક પૂર્વ ક્રિકેટરો આલોચના કરી રહ્યાં હોય, પરંતુ કોલકત્તા પોલીસે તેના માધ્યમથી સકારાત્મક સંદેશ આપ્યો છે. તેણે ટ્રાફિક નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ રનઆઉટનો ઉપયોગ કર્યો છે. કોલકત્તા પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી છે. 


તેમાં એક તરફ અશ્વિન રન આઉટ કરી રહ્યો છે, તો બીજી તરફ ટ્રાફિલ નિયમોનો ભંગ કરતા ગાડીઓ લાઇન ક્રોસ કરી રહી છે. ફોટોની ઉપર લખ્યું છે- ક્રીઝ હોય કે સડક, તમને બંન્ને જગ્યાએ પસ્તાવો થશે, જો તમે લાઇન પાર કરો છો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર