ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિશ્વ કપ માટે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની જર્સીને લઈને થયેલા વિવાદ બાદ જર્સીમાં ફેરફાર કર્યો છે. બોર્ડે આગામી વિશ્વ કપ અને આયર્લેન્ડ તથા વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રિકોણીય સિરીઝ પહેલા લીલા કલરની નવી જર્સી લોન્ચ કરી હતી, પરંતુ પ્રશંસકો અને મીડિયાની ટીકા તથા નારાજગી બાદ બોર્ડના ડાયરેક્ટર નિજામુદ્દીન ચૌધરીએ જર્સીમાં ફેરફાર કરવાનું આશ્વાસન આપ્યું છે. 


બોર્ડના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું, 'બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની ઘરેલું જર્સીમાં ફેરફાર કરવામાં આવશે.' અત્યારે જર્સીમાં લાલ કલરનો અંશ નથી પરંતુ નવી જર્સીમાં લાલ કલર હશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર