IND vs PAK Match Ticket: ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 14 ઓક્ટોબરે રમાશે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને હશે. આ વચ્ચે ફેન્સ માટે એક સારા સમાચાર છે. હકીકતમાં ભારત-પાકિસ્તાન મેચ માટે બીસીસીઆઈ 14 હજાર ટિકિટ રિલીઝ કરશે. ક્રિકેટ ફેન્સ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. 


ક્યારે અને કઈ રીતે બુક થશે ટિકિટ?
રવિવારે બપોરે 12 કલાકથી ક્રિકેટ ફેન્સ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ખરીદી શકશે. ફેન્સ ઓફિશિયલ વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર ટિકિટ ખરીદી શકશે. તો ભારત-પાકિસ્તાન વચ્ચે વિશ્વકપનો મહા મુકાબલો 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. આ ભારતીય ટીમની ત્રીજી વિશ્વકપની મેચ હશે. ભારતીય ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના વિશ્વકપ અભિયાનનો પ્રારંભ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube