નવી દિલ્હીઃ ચીનથી ફેલાયેલા કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પણ આગળ આવ્યું છે. બીસીસીઆઈએ શનિવારે જાહેરાત કરી કે તે આ વાયરસ વિરુદ્ધ જંગમાં તેના તરફથી 51 કરોડ રૂપિયાની મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખતરનાક વાયરસથી અત્યાર સુધી વિશ્વમાં 3 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વચ્ચે દેશવાસિઓને અપીલ કરી છે કે તે કોરોના વિરુદ્ધ લડાઇમાં સામે આવે અને સ્વેચ્છાથી દાન કરે. 


બોર્ડ તરફથી જારી નિવેદન પ્રમાણે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, બીસીસીઆઈના પદાધિકારીઓ અને સંબંધિત રાજ્ય એસોસિએશને શનિવારે પીએમ-કેયર્સ ફંડમાં રાહત તરીકે 51 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે. દેશની આપદા મેનેજમેન્ટ ક્ષમતાઓને મજબૂત કરવા અને કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં યોગદાન આપવાના ઇરાદાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર